ભરૂચ લોકસભા સીટ પર સ્વ.અહેમદ પટેલ ચૂંટણી લડ્યા હતા એટલે હવે તેમના સંતાનોની ઉમેદવારી હોય એવી કોંગ્રેસની ઈચ્છા

ભરૂચ લોકસભા 2024 માં કોંગ્રેસ નાં ઉમેદવાર તરીકે ફૈઝલ પટેલ કે મુમતાઝ પટેલ લડે એવી શક્યતા

ભરૂચ લોકસભા સીટ પર સ્વ.અહેમદ પટેલ ચૂંટણી લડ્યા હતા એટલે હવે તેમના સંતાનોની ઉમેદવારી હોય એવી કોંગ્રેસની ઈચ્છા

દેડીયાપાડા માં કોંગ્રેસ દ્વારા ફૈઝલ પટેલ ની આગેવાની માં આદિવાસી જન જાગૃતિ કાર્યક્રમનું કર્યું આયોજન

હું તો લડીસ નાં બેનર સાથે ફૈઝલ પટેલ નું સ્વ.અહેમદ પટેલ સાથે કોંગ્રેસે કર્યું પોસ્ટર જાહેર..

મોટી સંખ્યામાં આદિવાસી લોકો કોંગ્રેસના કાર્યક્રમ માં જોડાયા..કોંગ્રેસે ચૂંટણીપ્રચાર નો કર્યો પ્રારંભ

રાજપીપલા, તા..27

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ ભરૂચ ની બેઠકમહત્વની બનતી જઈ રહી છે. ખાસ કરીને ભરૂચ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈત્ર વસાવા ના નામની જાહેરાત થઈ છે. જોકે હજુ તેઓ જેલમાં છે ત્યારે
બીજી તરફ ભરૂચ ની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે બે નામ ચર્ચામાં. છે જમા રાજ્ય સભાના પૂર્વ સદસ્ય સ્વ.અહેમદ પટેલના દીકરા અને દીકરી ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલના નામો ચર્ચાઈ રહ્યાં છે. તો ભાજપામાંથી
સતત સાતની વાર વર્તમાન સાંસદ મનસુખભાઈ વસાવા
ફરીથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.ભરૂચ લોકસભા 2024 માં કોંગ્રેસ નાં ઉમેદવાર તરીકે ફૈઝલ પટેલ કે મુમતાઝ પટેલ લડે એવી શક્યતાછે..ભરૂચ લોકસભા સીટ પર સ્વ.અહેમદ પટેલ ચૂંટણી લડ્યા હતા એટલે હવે તેમના સંતાનોની ઉમેદવારી હોય એવી કોંગ્રેસની ઈચ્છા છે.

તેવા સંજોગોમાં આજે નર્મદાના ડેડીયાપાડા ખાતે દેડીયાપાડા માં કોંગ્રેસ દ્વારા ફૈઝલ પટેલ ની આગેવાની માં
એ.પી.એમ.સી ડેડયાપાડા
ગ્રાઉન્ડ ખાતે આદિવાસી જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધાં છે.આજે દેડીયાપાડા માં કોંગ્રેસ દ્વારા ફૈઝલ પટેલ ની આગેવાની માં આદિવાસી જન જાગૃતિ કાર્યક્રમ.ફૈજલ પટેલના અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો.

જેમાં હું તો લડીસ નાં બેનર સાથે ફૈઝલ પટેલ નું સ્વ.અહેમદ પટેલ સાથે કોંગ્રેસેપોસ્ટર જાહેર કરી દેતા ફરી એકવાર ફૈઝલ પટેલ ચર્ચામાં આવ્યા છે.આજે મોટી સંખ્યામાં આદિવાસી લોકો કોંગ્રેસના કાર્યક્રમ માં જોડાયા હતાં અને કોંગ્રેસે ચૂંટણીપ્રચાર નો પ્રારંભકર્યો હતો

 

ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા વિસ્તારમાં મારાં પિતાજીએ વર્ષો સુધી ગરીબો માટે લોકસેવાના કામો કર્યાં હતાં.હું તો લડીશ,
પ્રજાના પ્રશ્નો માટે લડીશ,
આદિવાસી ભાઈ બહેન માટે લડીશ,કમજોર અને પાછલા વર્ગ માટે લડીશ,હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા ધર્મ અને જાતિના લોકો માટે લડીશ,બેરોજગાર યુવાનો માટે લડીશ,ખેડૂતો માટે લડીશ,
અન્યાય ના ખિલાફ ન્યાય માટે લડીશ, અમે લડીશું અને જીતીશુંનો આશાવાદ વ્યક્ત કર્યો હતો આમ આદમી પાર્ટીનાં ચૈતર વસાવાની જાહેરાત જે લઈને ફૈઝલ પટેલે કહ્યુંહતું કે એ તેમની પાર્ટીનો વિષય છે..ઇન્ડીયા ગઠબંધન માં જે નક્કી કરશે તેં જ ઉમેદવાર રહેશે
આ કાર્યક્રમમાં કોંગી નેતા અર્જુન રાઠવા, જિલ્લા પ્રમુખ પ્રફુલ પટેલ, જીપીસીસી એસટી સેલના પ્રમુખ આનંદ ચૌધરી, ડેડીયાપાડામાં પૂર્વ ધારાસભ્ય અમરસિંહ ચૌધરી સહીત આગેવાનો હાજર રહ્યાં હતાં.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *