ગોરા ખાતે શુલપાણેશ્ર્વર મહાદેવના મંદિરે ચૈત્રી અમાસે ત્રિદિવસીય મેળો ભરાશે

ગોરા ખાતે શુલપાણેશ્ર્વર મહાદેવના મંદિરે ચૈત્રી અમાસે ત્રિદિવસીય મેળો ભરાશે

ગુજરાત,મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ત્રણ રાજ્યોના લાખો શ્રધ્ધાળુઓ ઉમટશે

મંદીરમા સપ્તઋષીઓ અને પાંડવોએ તપ કર્યુહતું

રામ,લક્ષ્મણ અનેસીતાજીએ પણ ૧૪ વર્ષના વનવાસ દરમ્યાન આ પવિત્રસ્થળમા વાસ કર્યો હતો

રાજપીપળા,તા25

નર્મદાજિલ્લાનો સૌથી મોટો ગણાતા
ગોરા ખાતે શુલપાણેશ્ર્વર મહાદેવના મંદિરે ચૈત્રી અમાસે ત્રિદિવસીય મેળો ભરાશે.આ મેળામા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ત્રણ રાજ્યોના લાખો શ્રધ્ધાળુઆનો મેળામા ઉમટી પડશે
આ વર્ષે ચૈત્રવદ તેરસથી અમાસ સુધી એટલે કે25એપ્રિલથી થી 27 એપ્રિલ સુધીત્રણ દિવસીય મેળો ભરાવાનો છે.

ગોરા ખાતેઆવેલ પ્રાચિનમૂળ શુલપાણેશ્ર્વર મહાદેવના મંદીરે સરદાર સરોવર નર્મદા યોજનાને કારણેડૂબમા જતા આ મૂળ મંદીરે નર્મદામાં જળસમાધી લીધી હતી.
ગોરા ગામે નર્મદા નદીથી ૧૬૦ ફૂટ દૂર નાની ટેકરી ઉ૫૨ ત્રણ દિવસનો મેળો ભરાયછે .જેમાચૈત્રી આમાસનુ વિશેષ ધર્મિક મહત્વ હોવાથી ચૈત્રી અમાસે સૌથી મોટો મેળો ભરાતો હોઈ લાખો શ્રધ્ધાળુઓ શુલપાણેશ્ર્વરમહાદેવના દર્શન કરી પોતાની બાધા, આખડી,માન્યતા પુરી કરી ધન્યતા અનુભવે છે.

ચૈત્રી આમાસે પુરાણોમા નર્મદા સ્નાનનું વિશેષ ધર્મિક મહત્વ હોય છે.તેથીચૈત્રી આમાસે વહેલી સવારે ગોરા પુલ નીચે હજારોની સંખ્યામા શ્રધ્ધાળુઓએ નર્મદામા ડૂબકી લગાવી શ્રધ્ધા પૂર્વક નર્મદા સ્નાન
કરી ધન્યતા અનુભવશે.ભક્તોઅહીં દાદાના દર્શન કરી પોતાની બાધા આખડીમાનતા મનોકામના પુરી કરે છે. મેળામા દાળીયા બજારનું વિશેષ આકર્ષણછે.. દર વર્ષે મહારાષ્ટ્રમાથી દાળીયાના વેપારીઓ માટી સંખ્યામાં ઉમટી પડે છે. મહારાષ્ટ્રના દાળીયા ખાસ વખણાતા હોવાથી મેળામાથી દાળીયાખરીદવાનુ ગુજરાતીઓ ચૂકતા નથી.શિવજીને દાળીયા અતિ પ્રિયહોવાથી દાળીયાનો પ્રસાદ ચડાવવાનો અહી રીવાજ છે.
શુલપાણેશ્વર મહાદેવની શણગારેલી ભવ્ય પાલખી યાત્રા પણ નીકળે છે.
ચૈત્રી અમાસે આરતીતથા પંચોપચાર પૂજા પણ થાય છે.
આગલે દીવસે માતાજી અને મહાદેવના પૌરાણિક ઘરેણા ચાપતાપોલીસ બંદોબસ્ત સાથે ટ્રેઝરીમાથી લાવી ઘરેણા પહેરાવવમા આવે છે તથા શ્રીજીનો શણગાર કરવામા આવે છે

નર્મદાના ડૂબાણમા ગયેલ અસલ મૂળ શુલપાણેશ્વર મંદિરનો પ્રાચીન ઇતિહાસ જાણીતો છે.આ મન્દિર
આજે પણ પાણીમા આખુ મંદીર ડૂબેલું છે.મંદીરમા સપ્તઋષીઓ અને પાંડવોએ તપ કર્યુહતું જયારે
રામ,લક્ષ્મણ અનેસીતાજીએ પણ ૧૪ વર્ષના વનવાસ દરમ્યાન આ પવિત્રસ્થળમા વાસ કર્યો હોવાનો ઇતિહાસ છે

તસવીર: દીપક જગતાપ,રાજપીળા