ગૃહમંત્રી અમિત શાહે લીધા મોટા એક્શન

ગૃહમંત્રી અમિત શાહે લીધા મોટા એક્શન

પહેલગામ હુમલા પછી, ભારત કોઈપણ કિંમતે પાકિસ્તાની નાગરિકોને દેશમાં જોવા માંગતું નથી. ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે અને તેમને તેમના રાજ્યોમાંથી તમામ પાકિસ્તાનીઓને પાછા મોકલવાનો નિર્દેશ આપ્યો છે.

અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાન માટે જારી કરાયેલા તમામ પ્રકારના વિઝા રદ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી અને તબીબી વિઝા પણ રદ કરવામાં આવ્યા છે.