*કુમકુમ “આનંદધામ” ખાતે શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧૯મી જયંતીની ઉજવણી કરવામાં આવી.*

*કુમકુમ “આનંદધામ” ખાતે શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧૯મી જયંતીની ઉજવણી કરવામાં આવી.*

*હોંગકોંગમાં “કચ્છના સંત શ્રી અબજીબાપા” નામના પુસ્તકની ર૫૦૦૦થી વધુ નકલો વેચાઈ હતી.- સાધુ પ્રેમવત્સલદાસજી*

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – આનંદધામ – હીરાપુર ખાતે શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧૯મી જયંતી અને સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીશ્રીની માસિક અંતર્ધાન તિથિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ, ધૂન, ધ્યાન, કીર્તન કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ “મૂર્તિમાં રસબસ બનવાને વાંચો બાપાશ્રીની વાતો” એ કીર્તન ઉપર અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીએ “જીવનપ્રાણ બાપાશ્રીના વિશિષ્ટ કાર્યો” ઉપર પ્રવચન કર્યા હતા.

*આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ શ્રી અબજીબાપાશ્રીની વાતો અંગે જણાવ્યું હતું કે*, કચ્છના સંત શ્રી અબજીબાપાશ્રીનું જીવન અનેકને પ્રેરણાદાયી હતું. હોંગકોંગમાં સસ્તું સાહિત્ય દ્વારા કચ્છના સંત શ્રી અબજીબાપા નામનું પુસ્તક અનેક વર્ષો પહેલા પ્રકાશિત કરવામાં આવ્યું. તો ત્યારે રપ૦૦૦થી વધુ નકલો પુસ્તકની વેચાઈ ગઈ હતી. આમ, આવા શ્રી અબજીબાપાશ્રીની આપણને પ્રાપ્તિ થઈ છે, તો આપણે તેમણે આપેલા સિંધ્ધાતોને જીવનમાં ઉતારીને, આધ્યાત્મિક માર્ગે આગળ વધવું જોઈએ. આજે પણ શ્રી અબજીબાપાશ્રીની વાતો વાંચવાથી માણસને મનમાં ઉદ્ભવતા દરેક પ્રશ્નોના ઉકેલ મળી જાય છે.

શ્રી અબજીબાપાશ્રીની વાતોમાં તેમણે જીવનમાં સુખી થવા હંમેશા પોઝીટીવ દ્રષ્ટિ કેળવવાની વાત કરી છે. આપણે સો માણસોમાંથી એક એક ગુણ લઈએ તો આપણામાં સો સદ્ગુણોનો આવિર્ભાવ થાય છે અને સો માણસમાંથી એક એક દોષ લઈએ તો સો અવગુણ આપણામાં આવી જાય છે, તેથી દરેકમાંથી આપણે ગુણ ગ્રહણ કરવા જોઈએ.