કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટનાસામે નર્મદામા પણ ભારે આક્રોશ

કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટનાસામે નર્મદામા પણ ભારે આક્રોશ

ભોગ બનેલા 28 મૃતક પર્યટકોને શ્રધાંજલિ આપવા રાજપીપલા સ્વામિનારાયણ વિદ્યાલયમાં યોજાયો ખાસ હરિયાગ

રાજપીપલા, તા25

કાશ્મીરના પહેલગામમાં 22 તારીખે આતંકવાદી હુમલાની ઘટનાએ સમગ્ર ભારતમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ભારતના જુદા જુદા રાજ્યો માંથી કાશ્મીર ની સહેલગાહે ફરવા આવેલા હિન્દુ પર્યટકોને શોધી શોધીને નામ અને જાતિ પૂછીને ધર્મના નામ પર 28 જેટલાં હિન્દુ પર્યટકોને ગોળી મારી નિર્મમ હત્યા કરનારા આતંકવાદી ઑ સામે દેશભરમા ભારે આક્રોશ જોવા મળ્યો હતો.જેના પડઘા પણ નર્મદા માં જોવા મળ્યા હતા.

જેના પ્રત્યાઘાતરૂપે આજે
ભોગ બનેલા 28 મૃતક પર્યટકોને શ્રધાંજલિ આપવા રાજપીપલા ખાતે સ્વામિનારાયણ વિદ્યાલયમાં ખાસ હરિયાગ યોજાયો હતો.અને દિવંગતોના આત્માના શાંતિ માટે સિધ્ધેશ્વરસ્વામિ દ્વારા શિક્ષકો, વિદ્યાર્થીઑ દ્વારા હરિયાગ યજ્ઞ નું આયોજન કરાયું હતું. જેમાં,મૃતકોના આત્માની શાંતિ માટે વિવિધ મંત્રોચ્ચાર સાથે યજ્ઞ માં 108 જેટલી આહુતિઓ આપી પ્રાર્થના પૂજન કરાયુંહતું, સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના સિધ્ધેશ્વરસ્વામીએ જણાવ્યું હતું કેહિંદુઓના નામ,જાતિ પૂછીને ગોળી મારવાનીઆતંકવાદીઓની નાપાક પ્રવૃત્તિને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને નિર્દોષો ની હત્યા કરનારા આતંકવાદીઑને પણ ઠેકાણે પાડવા જોઈએ.ભારત સરકાર આતંકવાદીઑ અને પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરે
એવી માંગ કરી મૃતકો ના આત્માના શાંતિ માટે હરિયાગ યજ્ઞ યોજી પ્રાર્થના પૂજન કર્યુ હોવાનું જણાવ્યું હતું.

તસવીર:દીપક જગતાપ, રાજપીપલા