મોરપીંછ થીમ પર ગરબા યોજાશે
અમદાવાદ ખાતે શુભ મંડળી – મોરપીંછ થીમ સાથેના પ્રીમિયમ મંડળી ગરબા યોજાશે.
અમદાવાદ શહેરમાં નવરાત્રિના આગમન પૂર્વે પ્રીમિયમ મંડળી ગરબા અંગે મોટી જાહેરાત કરવામાં આવી રહી છે. ” મોરપીંછ ” પ્રસ્તુત શુભ મંડળી દ્વારા આયોજિત આ વિશિષ્ટ ગરબા 22મી સપ્ટેમ્બરથી 2 જી ઓક્ટોબર 2025 દરમિયાન ફ્લોરેટ પાર્ટી પ્લોટ, સરદાર પટેલ રિંગ રોડ, ઓગણજ યોજાશે.
ગોપાલ ભરવાડ, દેવરાજ ગઢવીગિર, કૌશિક ભરવાડ, પર્થદાન ગઢવી, સુહાની શાહ અને લકી મીર જેવા પ્રતિભાશાળી કલાકારો તેમના સંગીત અને સ્વરોથી આ નવરાત્રિને યાદગાર બનાવશે.
ગરબા પૂર્વે મીડિયા મિત્રો માટે ખાસ પ્રિ-એનાઉન્સમેન્ટ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશાલ મીર, પર્થ ગામરા, વેદાંશ શર્મા, ભવ્ય લોધિયા, ભાવેશ ખોડીયાર તથા સચિન સિંધવ ઉપસ્થિત રહીને મીડિયા સાથે આ ભવ્ય ગરબા વિષે માહિતી આપવામાં આવી હતી. આ વર્ષે અમદાવાદના પ્રીમિયમ ગરબા અનુભવ માટે “શુભ મંડળી” સંગીત, પરંપરા અને સાંસ્કૃતિક ભાવનાનું અનોખું સંયોજન રજૂ કરવા સજ્જ બન્યું છે.