શારદામંદિર શાળાનાં પ્રાંગણમાં સાહિત્યોત્સવ!


શારદામંદિરના પ્રાંગણમાં આજે અને કાલે ચાલી રહેલા સાહિત્યપર્વમાં પરિવાર અને મિત્રો સાથે પધારવા અંત:કરણપૂર્વક આમંત્રણ છે!

નાનકડા બાળકોમાં વેશભૂષાના કાર્યક્રમ દ્વારા જ્યારે ઈતિહાસથી લઈને વર્તમાન સુધીના અનેક સાહિત્યકારો આજે મંચસ્થ થયા ત્યારનું વાતાવરણ કંઈ વિશેષ જ હતું! શ્રીમતી ચારુગીતા શુક્લ અને શ્રીમતી ભારતી શુક્લએ આ કાર્યક્રમમાં જજની ભૂમિકા નિભાવી હતી.

સર્વશ્રી આદરણીય સુધાબહેન ભટ્ટ, અનુરાધાબહેન દેરાસરી, રામ મોરીની સાહિત્યની સરવાણીથી શારદામંદિર આજે ગુંજી ઊઠ્યું હતું!

જીગીષા ત્રિવેદી લિખિત અને દિગ્દર્શિત તથા અર્ચન ત્રિવેદી, જીગીષા ત્રિવેદી, નવીન રાવલ અભિનીત નાટક ‘વાતનું વતેસર’ મંચ પર ભજવાયું ત્યારે સૌ કોઈ ખડખડાટ હસીને આ નાટકને માણી રહ્યા હતા!

આપ સૌને કાલે અહીં પધારીને આ સાહિત્યોત્સવને માણવા પુન: આમંત્રણ પાઠવું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *