” અવેરનેસ કાર્યક્રમ”-વિશ્વ અપંગ દિન ની ઉજવણી…

” અવેરનેસ કાર્યક્રમ”-વિશ્વ અપંગ દિન ની ઉજવણી…

3ડિસેમ્બર -વિશ્વ અપંગ દિન-ની ઉજવણી ના ભાગ રૂપે સમાજમાં અવેરનેસ લાવવાના હેતુસર નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ નાં વિદ્યાર્થીઓ એ મેમનગરગામ વિસ્તારમાં રેલી કાઢી,માનવ સાંકળની રચના કરી હતી.હાથમાં અવેરનેસ આપતા શ્લોગનો નાં બૅનરો રાખ્યાં હતાં.ડિસેબીલીટીને માહિતી આપતા પેમ્પલેટનું વિતરણ કર્યાં હતાં. રોડ ઉપર આવતા જતા લોકો માં આ માનવસાંકળ આકર્ષણનું કેન્દ્ર બની હતી.આ રીતે સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ સમાજમાં અપંગતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.
નિલેશ પંચાલ (સંચાલક )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *