વિશ્વ પર્યાવરણ દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનને સપ્તરંગી ફૂલોનો કલાત્મક શણગાર ધરાવવામાં આવ્યા.*

*કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ૧૯૫મો અંતર્ધાન દિન ઉજવાયો.*

-*શ્રી સ્વામિનારાયણ ભગવાનને સપ્તરંગી ફૂલોનો કલાત્મક શણગાર ધરાવવામાં આવ્યા.*

-*સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ૩૦,૦૦૦થી વધુ કીર્તનો રચ્યાં છે.- સાધુ પ્રેમવત્સલદાસજી*

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૧૯૫મા અંતર્ધાન દિન નિમિત્તે શ્રીજી વિજય સેવા સમિતિના સભ્યોની સત્સંગ સભા યોજાઈ હતી.

આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને સપ્તરંગી ફૂલોના કલાત્મક વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રીજીમહારાજે શું જીવન સંદેશ આપ્યો છે તે વિષય ઉપર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણ સ્વરુપદાસજી સ્વામીએ પ્રવચન આપ્યા હતા.

*કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, શ્રી સ્વામિનારાયણ ભગવાને ગુજરાતની ભૂમિ ઉપર ૨૫ વર્ષથી વધુ વિચરણ કરીને પ્રજાને નિર્વ્યસની અને સદાચારમય જીવન જીવવાનો સંદેશ આપ્યો છે. તેમણે સંસ્કૃતિના આધારસ્તંભ સમા મંદિરો સ્થાપ્યા છે. જેમાં પ્રથમ મંદિર અમદાવાદમાં કર્યું હતું.

માનવજીવનનું ઘડતર કરનાર શિક્ષાપત્રી અને વચનામૃત આદિ શાસ્ત્રોની સંતો પાસે રચના કરાવી છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા આશરે રર જેટલા સંસ્કૃત ગ્રંથો, ૯૦ જેટલા પ્રાકૃત ગ્રંથો, અષ્ટકવિઓ દ્વારા ૩૦,૦૦૦થી વધુ કીર્તનો રચાયાં છે.

ટૂંકમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાહિત્યનો સાગર ઘૂઘવી રહ્યો છે.

તો, આપણી સહુની ફરજ છે કે, નિત્ય એક ગ્રંથતો અવશ્ય વાંચવો જ જોઈએ.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ