*સિંહ અને હિન્દુ ગર્જે છે ત્યારે ઈતિહાસ બદલાય જાય છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*

*ઘોડાસરમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું.*

*હિન્દુઓએ એક-નેક અને ટેકવાળા બનવું પડશે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*

*સિંહ અને હિન્દુ ગર્જે છે ત્યારે ઈતિહાસ બદલાય જાય છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*

અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં આશાપુરી વસ્તી હિન્દુ સંમેલન સમિતિ દ્વારા વિરાટ હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિરાટ વાહન રેલી યોજાઈ હતી. ત્યારબાદ બાળકો દ્વારા દેશભક્તિના નૃત્યોની રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણિનગરના શ્રી હરિવલ્લભદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી પધાર્યા હતા. આ સંમેલનના આયોજનમાં શ્રી કાન્તીભાઈ પટેલ, શ્રી અશ્વિવનભાઈ દેસાઈ, શ્રી જગદીશભાઈ પ્રજાપતિ, શ્રી શૈલેષભાઈ પટેલે મહત્વનું યોગદાન આપ્યું હતું. આ હિન્દુ સંમેલનમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ જોડાઈને લાભ લીધો હતો.

*આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*,આપણો ધર્મ સત્ય અને માનવતાના પાયા ઉપર ઉભેલો છે. ધરતી ફાટે પણ ધર્મ ના છોડે એ હિન્દુ. મહારાણા પ્રતાપે ઘાસની રોટલી ખાધી છે, પણ ધર્મ માટે નમ્યા નથી. છત્રપતિ શીવાજીએ મૂઠીભર માણસો સાથે લડીને ધર્મને સાચવ્યો અને તેનું સંવર્ધન કર્યું છે. સોમનાથ મંદિરને બચવાવા માટે પણ લાઠીના હમીરજી ગોહિલજી આદિ અનેક મહાપુરુષોએ બલિદાન આપ્યા છે.

સિંહની ડણક અને હિન્દુની હલક બંને ભયાનક હોય છે. તેનાથી કાળ પણ પાછો પડે છે. સિંહ અને હિન્દુ ગર્જના કરે છે ત્યારે ઈતિહાસ બદલાય જાય છે. આપણે શિવાજીના વારસદાર છીએ, મહારાણા પ્રતાપનું રક્ત આપણામાં વહે છે. હિન્દુઓ ધર્મ માટે શીશ આપતાં શીખ્યા છે. તે ક્યારેય ઝૂકતા નથી જંગમાં.

હવે સમય આવી ગયો છે, જાગૃત્ત થવાનો અને સૌને જાગૃત્ત કરવાનો. વિધર્મીઓએ હવે સમજી જવું જોઈએ કે, અમો મર્યાદામાં રહીએ ત્યાં સુધી રામ છીએ, નહીં તો પછી પરશુરામ…

દરેક હિન્દુઓએ હવે એક-નેક અને ટેકીલા થવાની જરુર છે. જો આપણે તેમ કરીશું તો આપણને કોઈ છીન્ન-ભિન્ન નહી કરી શકે. આપણે ધર્મનું રક્ષણ કરીશું, તો આપણું ધર્મ રક્ષણ કરશે.

આપણા દરેક હિન્દુના ઘરમાં નિત્ય દીપ પ્રાગટ્ય,નિત્ય પ્રાર્થના થવી જોઈએ. રામાયણ-ગીતા-શિક્ષાપત્રી આદિ ગ્રંથોનો પાઠ થવો જોઈએ. સમૂહ ભોજન અને ભજન કરવું જોઈએ. આ સંસ્કારો આપણા કુટુંબમાં હશે તો ભક્ત પ્રહ્લાદ – નચિકેતાનો જન્મ થશે અને તેઓ ભવિષ્યમાં હિન્દુ ધર્મનું રક્ષણ કરશે.

આજના બાળકો અને યુવાનોને રામની મર્યાદા, પરમુરામનું શૌર્ય, હનુમાનજી અને દાદાખાચરના જેવી ભક્તિ આપણે શીખવીશું તો આપણું અને સમગ્ર હિન્દુ સમાજનું ભવિષ્ય સદાયને માટે ઉજ્જવળ રહેશે.