“ભારતીય વિદ્યાર્થી પ્રવૃત્તિ -સંઘર્ષ , સફળતા અને સમીક્ષા” પુસ્તકનું વિમોચન થયુ

અમદાવાદની ખુબજ જાણીતી ગુજરાત યુવક કેન્દ્ર પ્રેરિત ધર્મ જાગૃતિ કેન્દ્રના ઉપક્રમે પ્રમોદ શાહ લિખિત “ભારતીય વિદ્યાર્થી પ્રવૃત્તિ-સંઘર્ષ , સફળતા અને સમીક્ષા” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પ્રમોદ શાહે કહ્યું હતું કે આ પુસ્તકમાં આઝાદી પહેલાના અને પછીના વિદ્યાર્થી સંગઠનોનો ઈતિહાસ આલેખવામાં આવ્યો છે જે ભવીષ્યની પેઢીમાટે પ્રેરણારૂપ બની રહેશે.એચ.એ.કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે કોઇપણ આંદોલનમાં વિદ્યાર્થીઓની ભૂમિકા હંમેશા અગ્રેસર રહી છે. દેશની પ્રગતીનો આધાર યુવાનોની નિષ્ઠા તથા મૂલ્યનિષ્ઠ વિચારો ઉપર નિર્ભર હોય છે.આ પ્રસંગે નવનિર્માણ આંદોલનના મનીષી જાની, વેહેપારી મંડળના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર શાહ, દિનેશ ભગત, રમેશ નાગર, પ્રો.યોગેશ રાજગોર વિગેરેએ પ્રાસંગોચિત વક્તવ્યો આપ્યા હતા.અનમોલ મોતીના બાળકોએ પ્રાર્થના રજૂ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન મનીષ શાહે કર્યું હતુ. ધર્મજાગૃતિ કેન્દ્રના કાર્યાધ્યક્ષ અજય દોશીએ આભારવિધિ કરી હતી. આ સમારંભમાં શહેરના અગ્રણી નાગરીકો હાજર રહ્યા હતા.