કુમકુમ મંદિરના સંતો દ્વારા બદ્રીનાથની યાત્રા યોજવામાં આવી.

કુમકુમ મંદિરના સંતો દ્વારા બદ્રીનાથની યાત્રા યોજવામાં આવી.

શ્રી સ્વામિનારાયણ ભગવાન બદ્રીનાથમાં 230 વર્ષ પહેલા આવ્યા હતા.. સાધુ પ્રેમવત્સલદાસજી

સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ – મણીનગર – અમદાવાદ દ્વારા સંતો અને હરિભક્તો બદ્રીનાથની યાત્રાએ ગયા હતા. અને ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કર્યું હતું.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ બદ્રીનાથ માં શ્રી સ્વામિનારાયણ ભગવાન સંવત 1850 માં પધાર્યા હતા અને અહિયાં દિવાળી અન્નકૂટ ઉત્સવ કર્યો હતો. આ બદ્રીનાથના પુજારી એ
નીલકંઠ વર્ણીની ખૂબ જ સેવા કરી હતી. તેમના હાથી ઉપર બેસાડીને બદ્રીનાથમાં ફેરવ્યા હતા. તેથી બદ્રીનાથ શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું સ્થાન હોવાથી સંતો અને હરિભક્તો દર્શન કરવા માટે આવ્યા હતા.
આ બદ્રીનાથમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ આવેલું છે.

One thought on “કુમકુમ મંદિરના સંતો દ્વારા બદ્રીનાથની યાત્રા યોજવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *