જ્યાં સુધી રૂપાલા ની ટિકિટ રદ નહિ કરે ત્યાં સુધી રાજપૂતો નો રહશે વિરોધ

નર્મદાના રામપુરા ગામના રાજપૂતોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી વિરોધ પ્રદર્શન કર્યું

ગામની બહાર બેનરો લગાવી કોઈ પણ ભાજપ ના નેતા એ ગામ માં પ્રચાર માટે નહીં આવવાના બેનરો માર્યા

જ્યાં સુધી રૂપાલા ની ટિકિટ રદ નહિ કરે ત્યાં સુધી રાજપૂતો નો રહશે વિરોધ

રાજપીપલા, તા 5

રૂપાલાની ટિકિટ રદ કરવા અંગેનો વિરોધ હવે નર્મદામા પણ ગામે ગામ પ્રસરી રહ્યો છે. બે દિવસ પગેલા ગોપાલપુરા ગામે વિરોધ થયો હતો હવે આજે માંગરોળ ગામે રજપૂત સમાજે બેનરો લગાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

નર્મદાનાનાંદોદ તાલુકાના રામપુરા ગામનાના રાજપૂતોએ વિરો કરી રૂપાલાની ટિકિટ રદ કરવા કરવાની માંગ કરી હતી

ગ્રામજનોએ ગામની બહાર બેનરો લગાવી કોઈ પણ ભાજપના નેતાએ ગામમાં પ્રચાર માટે નહીં આવવાના બેનરો માર્યા હતા અને જણાવ્યું હતું કે જ્યાં સુધી રૂપાલા ની ટિકિટ રદ નહિ કરે ત્યાં સુધી રાજપૂતોનો વિરોધ રહેશે.નર્મદામા ગોપાલપુરા ગામ પછી ગામે ગામ વધતો જતો વિરોધ ભાજપા માટે ચિંતાનો વિષય બન્યો છે

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા