શ્રી નર્મદા કોલેજ ઓફ એજ્યુકેશન, માંગરોલ દ્વારા માંગરોલ ગામે ખાતે ‘માતૃભાષા’ મહોત્સવ ઉજવાયો

શ્રી નર્મદા કોલેજ ઓફ એજ્યુકેશન, માંગરોલ દ્વારા માંગરોલ ગામે ખાતે
‘માતૃભાષા’ મહોત્સવ ઉજવાયો

જાણીતા સાહિત્યકાર અને લેખક દીપક જગતાપનું મનનીય પ્રવચન

રાજપીપલા, તા 20

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા આયોજિત ‘માતૃભાષા મહોત્સવ-૨૦૨૬’ અન્વયે શ્રી નર્મદા
કોલેજ ઓફ એજ્યુકેશન, માંગરોલ, શ્રી નર્મદા ગ્રામ વિદ્યાપીઠ, માંગરોલ અને શ્રી નર્મદા MSW કોલેજ,માંગરોલ ના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા ગૌરવગાન અંગેનો સાહિત્યિક કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મહેન્દ્રભાઈ પટેલ અને અતિથિ વિશેષ તરીકે આર.
આર. રાવલજી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના વક્તા તરીકે શ્રી દીપક જગતાપ ( જાણીતા સાહિત્યકાર લેખક અને
પ્રમુખ – નર્મદા સાહિત્ય સંગમ) તેમજ સુરેશભાઈ પટેલ (પ્રાધ્યાપક, એમ.આર.
આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપળા) એ માતૃભાષાના મહત્વ અને તેના જતન વિશે પ્રેરણાદાયીવક્તવ્ય આપ્યું હતું.

જાણીતા સાહિત્યકાર, વિજ્ઞાન લેખક અને નર્મદાસાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપે માતૃભાષાનું મહત્વ, ઇતિહાસ અને સંવર્ધન વિષય ઉપર મનનીય પ્રવચન આપતા જણાવ્યું હતું કે શાળા કોલેજ માં છાશવારે વપરાતા અંગ્રેજી શબ્દ પ્રયોગો ટાળી
માતૃભાષા ગુજરાતીના શબ્દ પ્રયોગો વાપરવા ખાસ ભાર મૂકી દીપક જગતાપે માતૃભાષાનો ઇતિહાસ,
ઇઝરાઇલ દેશ, ચીન દેશ, તેમજ મહારાષ્ટ્ર, ગુજરાતના માતૃભાષા પ્રેમની વાત રજૂ કરી માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સંયોજક મહેશચંદ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ,
પ્રાધ્યાપકો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા