નર્મદાના ગરુડેશ્વર બ્રીજ પાસે ડાઇવર્ઝનમાં બાઇક સવાર ઘૂસી જતા બેના કરુણ મોત

વિદાય લેતા 2023ના વર્ષના અંતિમ દિવસોમા બનેલી ગોઝારી ઘટના

નર્મદાના ગરુડેશ્વર બ્રીજ પાસે
ડાઇવર્ઝનમાં બાઇક સવાર ઘૂસી જતા બેના કરુણ મોત

બન્ને બાઈક સવાર સરકારી આરોગ્યમાં નોકરી કરતા હતા

બંનેને હાલ ગરુડેશ્વર રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવાયા

રાજપીપલા, તા 30

વિદાય લેતા 2023ના વર્ષના અંતિમ દિવસના એક દિવસ પહેલાં નર્મદામાં બનેલી ગોઝારી ઘટનામાં
નર્મદાના ગરુડેશ્વર બ્રીજ પાસેબાઈક સવારસાથે અકસ્માત થતાં આ અકસ્માતમાં બંન્ને બાઈક સવારોના કરુણ મોત નીપજ્યા છે.

અહીંનો એક બ્રીજ બંધ છે.જ્યાંથી જ્યાં ડાઇવર્ઝન અપાયું હતું તેમાં બાઇક સવાર ઘૂસી જતા બેના કરુણ મોત નીપજ્યા હતાં

અત્રે ઉલ્લેખનીય છે કે આજે 3 મહિનાથી બ્રીજ બંધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને નર્મદા નદીના પુરને લઈ બ્રીજ નો એક ભાગ તૂટી જતાં આ પુલને અવરજવર માટે બંધ કરાયો હતો.

આ બન્ને બાઈક સવાર સરકારી આરોગ્યમાં નોકરી કરતા હતા બન્ને બાઈક ઉપર જઈ રહ્યાં હતાં ત્યારે રાત્રીના સમયે ડાઇવર્ઝનમાં બાઈક ઘૂસી જતા બન્ને બાઈક ઉપરથી ઉછળીને નીચે પટકાતા માથામાં ગંભીર ઇજા થવા પામી હતી.જેમાં બન્ને ના કરુણ મોત નીપજ્યા હતાં.બંનેને હાલ ગરુડેશ્વર રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવાયાછે.ગરુડેશ્વર રેફરલ હોસ્પિટલે લોક ટોળાં ઉમટ્યા હતાં

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *