ગુજરાતનો યુવક અનુજ મુદલિયાર દર વર્ષે નવરાત્રીમાં અલગ અલગ પ્રકારની પાઘડી બનાવીને ચર્ચામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ અનુજે મુદલિયાર નવરાત્રીમાં ખુબ જ સુંદર પાઘડી બનાવી છે, જેનું નામ હજુ સુધી નક્કી નથી કરવામાં આવ્યું,
પરંતુ આ પાઘડીની અંદર પ્રધાનમંત્રી મોદીજી ઉપરાંત રામ મંદિર બનાવવામાં આવ્યું છે, ભારતને આજે જેના પર ગર્વ છે એવું ચંદ્રયાન પણ બનાવ્યું છે. આ સાથે પાઘડીમાં ગરબા અને રાસ કરતા ખેલૈયા પણ જોવા મળશે.
આ પાઘડી બનાવવા પાછળ અનુજે 25,000નો ખર્ચ કર્યો છે. પાઘડીનું વજન 3 કિલોગ્રામ છે. આ ઉપરાંત અનુજ જે કેડિયું પહેરવાનો છે તેનું વજન 4થી 5 કિલોગ્રામ છે. આ સાથે જ તેના પહેરવેશનું કુલ વજન લગભગ 12 કિલોગ્રામ હશે અને આ વજન સાથે જ અનુજ મુદલીયાર ગરબે ઘૂમશે