સૂર્ય-શનિ આવી રહ્યા છે સામસામે , બની રહ્યો છે ખતરનાક યોગ !

સૂર્ય-શનિ ના સામસામે આવવા થી બની રહ્યો છે

સમસપ્તક યોગ !

 

હિન્દુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તેમના નિષ્પક્ષ ન્યાયને કારણે, તેઓ ન્યાયના દેવ તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિદેવ દરેક વ્યક્તિને તેના પાપો અને ખરાબ કાર્યોની સજા આપતા રહે છે. પરંતુ શું તમે જાણો છો કે શનિદેવના પિતા સૂર્યદેવે તેમને પુત્ર તરીકે સ્વીકારવાની ના પાડી હતી. નહીં, તો ચાલો તમને જણાવીએ કે શું થયું કે સૂર્યદેવ પોતાના પુત્ર શનિને સ્વીકારીયા નહીં. અને સાથે બને છે આજે સૂર્ય સિંહ રાશિમાં ગોચર !

 

સની દેવ નો પુત્ર તરીકે અસ્વીકાર !

સૂર્યદેવની પત્નીનું નામ છાયા હતું. સૂર્યદેવની પત્ની છાયાના ગર્ભમાંથી શનિનો જન્મ થયો હતો. શનિદેવના પિતા એટલે કે સૂર્યદેવ મુનિ કશ્યપના વંશજ છે. માતા છાયાની કઠોર તપસ્યા બાદ સૌરાષ્ટ્રના શિગણાપુરમાં જ્યેષ્ઠ માસની અમાવાસ્યાના દિવસે શનિદેવનો જન્મ થયો હતો. શનિદેવની માતા ભગવાન શિવની ભક્ત હતી. જ્યારે શનિદેવ માતા છાયાના ગર્ભમાં હતા, તે સમયે તે ભગવાન શિવની ભક્તિમાં તલ્લીન હતા. ભક્તિમાં તલ્લીન હોવાથી તે પોતાની તબિયતનું ધ્યાન રાખી શકતી ન હતી. વધુ ગરમી અને યોગ્ય આરોગ્ય સંભાળના અભાવે ગર્ભાશયમાં જ શનિદેવનો રંગ કાળો થઈ ગયો હતો. એકવાર જ્યારે સૂર્યદેવ તેમની પત્નીને મળવા ગયા ત્યારે તેમણે દિવ્ય દ્રષ્ટિમાં જોયું કે શનિદેવનો રંગ કાળો છે. ગર્ભમાં રહેલા પુત્રનો કાળો રંગ જોઈને સૂર્યદેવ ખૂબ જ આશ્ચર્યચકિત થયા, ત્યારબાદ તેમણે શનિદેવને પુત્ર તરીકે સ્વીકારવાની ના પાડી દીધી. આ કારણથી સૂર્યદેવે પત્ની અને પુત્રનો ત્યાગ કર્યો. જ્યારે શનિને આ વાતની જાણ થઈ તો તેણે પોતાના પિતા પ્રત્યે દુશ્મનાવટ બતાવવાનું શરૂ કરી દીધું.

 

સૂર્ય સિંહ રાશિમાં ગોચર !

સૂર્યનું આ ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. આ ગોચર બાદ સૂર્ય અને શનિ એકબીજાની સામસામે આવશે. તેવામાં સમસપ્તક યોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સમસપ્તક યોગ કેટલીક રાશિઓ માટે કષ્ટકારી સાબિત થશે. સૂર્ય-શનિના કારણે બનનારો  યોગ કોના જીવનમાં મુશ્કેલીઓ લાવશે જાણો. સૂર્ય 17 ઓગસ્ટે સિંહ રાશિમાં ગોચર કરશે, જ્યાં શનિ પહેલાથી જ કુંભ રાશિમાં બિરાજમાન છે. તેવામાં સૂર્ય અને શનિ બંને એકબીજાના સાતમાં ઘરમાં ઉપસ્થિત રહેશે અને એકબીજાની સીધી દ્રષ્ટિથી જોશે. જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, શનિ અને સૂર્યના સંબંધ સારા નથી. તેવામાં શનિ અને સૂર્યના સામસામે આવવું કેટલીક રાશિઓ માટે કષ્ટકારી સાબિત થશે. આ દરમિાન આ રાશિઓએ સંભાળીને રહેવાની જરૂર પડશે. કઈ રાશિઓ પર સૂર્ય-શનિના સમસપ્તક યોગની પ્રતિકૂળ અસર રહેવાની છે જાણો.

 

કઈ કઈ રાશી ને રેહસે સૂર્ય-શનિના સમસપ્તક યોગની પ્રતિકૂળ અસર જાણો !

સિંહ : 

સૂર્ય અને શનિના પ્રભાવથી સિંહ રાશિના જાતકોની હેલ્થ પ્રભાવિત થશે. આ દરમિયાન તમારે તમારી હેલ્થને લઈને સતર્ક રહેવું પડશે. આ સમયમાં ક્રોધિત પણ વધારે થશો. તમારી વાણી પણ વધારે દૂષિત થશે. કોઈ વાતને લઈને માનસિક તણાવ રહી શકે છે. જીવનસાથી સાથેના તાલમેળમાં કમી આવી શકે છે. જેઓ ભાગીકારીમાં કામ કરે છે તેમને પરેશાની આવી શકે છે.

 

કન્યા :

સૂર્ય અને શનિના પ્રભાવથી કન્યા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પ્રભાવિત થશે. આ દરમિયાન ખર્ચમાં વધારો થઈ શકે છે. તેવા ખર્ચ કરવા પડશે જે કરવાની વધારે જરૂર નહોતી. જો કોઈ લોન ચાલી રહી છે તો તેને લઈને ચિંતિત રહેશો. સ્વાસ્થ્ય નરમ રહી શકે છે. તમારા પર કામનું દબાણ વધારે રહેશે. ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે.

 

મકર :

મકર રાશિ પર સૂર્ય અને શનિનો નકારાત્મક પ્રભાવ રહેશે. કાયદાકીય મામલે ફસાઈ શકો છો, તેથી સંભાળીને રહેવું નહીં તો આગળ જઈને વધારે મુસીબતમાં મુકાશો. આ સમયમાં કોઈ વાતને લઈને આર્થિક કષ્ટ થઈ શકે છે. આટલું જ નહીં સંતાન સંબંધિત પરેશાની આવી શકે છે. શત્રુ અને વિરોધીઓથી સતર્ક રહેવાની જરૂર છે.

 

કુંભ :

સૂર્ય અને શનિના સામસામે આવવાથી કુંભ રાશિની સમસ્યા વધી જશે. તમે જીવનસાથીની હેલ્થને લઈને ચિંતિત રહેશો. લવ લાઈફને લઈને તણાવ રહી શકે છે. કામમાં અડચણ આવી શકે છે. કોઈ કારણથી આર્થિક નુકસાન ઉઠાવવું પડી શકે છે. જો કોઈ યાત્રા પર જઈ રહ્યા છો તો કષ્ટની શંકા રહેશે.

 

આ પણ વાંચો :

આજ થી શરુ થઈ રહિયો છે પવિત્ર શ્રાવણ , જાણો વિશેષ મહત્વ અને પરંપરા કથાઓ