કુમકુમ મંદિર દ્વારા નિ:શુલ્ક કેમ્પ યોજાશે.

કુમકુમ મંદિર દ્વારા નિ:શુલ્ક કેમ્પ યોજાશે.

તારીખ 26- 5 – 2023 ને શુક્રવારના રોજ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિય દાસજી સ્વામી એ કુમકુમ સંસ્થા નો પ્રારંભ કર્યો તેને 38 વર્ષ પૂર્ણ થતા હોવાથી તારીખ 26 અને 27 મેના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ- મણીનગર દ્વારા નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલદાસજી જણાવ્યું હતું કે,
આ કેમ્પ ની અંદર ફિઝિશિયન – સર્જન- ડેન્ટિસ્ટ – ગાયનેક વગેરે નામાંકિત ડોક્ટરો દ્વારા નિશુલ્ક તપાસ કરી આપવામાં આવશે .

આ ઉપરાંત એક્સ-રે – સોનોગ્રાફી – બ્લડ ટેસ્ટ જેવા રિપોર્ટો કરવામાં મહત્તમ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આ કેમ્પમાં લાભ લેવા માટે તારીખ 25 ને ગુરૂવાર સુધીમાં કુમકુમ મંદિર ખાતે નામ નોંધાવવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *