પાલિકાના મુખ્ય અધિકારીએ વાહવાહી લૂંટવા, લાભાર્થીઓની જગ્યાએ પાલિકાના કર્મીઓને બેસાડી દીધા?!

અહો આશ્ચર્યમ!

રાજપીપળા પાલિકાના મુખ્ય અધિકારીએ વાહવાહી લૂંટવા,
લાભાર્થીઓની જગ્યાએ પાલિકાના કર્મીઓને બેસાડી દીધા?!

શાસક પક્ષના નેતા પ્રગ્નેશ રામીનો ગંભીર આક્ષેપ

રાજપીપળા:

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ જનજાગૃતિ અને વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે રાજપીપળા ખાતે સરદાર ટાઉન હોલ ખાતે પાલિકા દ્વારા યોજાયેલી
જન કલ્યાણ શિબિરની કામગીરી સામે શાસક પક્ષના નેતાઓએ જ સવાલો ઉઠાવતા આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

ગઈ કાલે રાજપીપળા નગરપાલિકા દ્વારા
ટાઉન હોલ ખાતે યોજાયેલી જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારે વિવાદ સર્જાયો છે.

આ શિબિરમાં સાચા
લાભાર્થીઓની જગ્યાએ પાલિકાના જ કર્મચારીઓને બેસાડી દઈને
કાર્યક્રમ સફળ થયો હોવાની
વાહવાહી લૂંટવામાં આવી હોવાનોગંભીર આક્ષેપ રાજપીપળાનગરપાલિકાના શાસક પક્ષના નેતા
પ્રગ્નેશ રામીએ લગાવતા
ખળભળાટ મચી ગયો છે.

એક તરફ કેન્દ્રની મોદી સરકારના ૧૨
વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં મોદી સરકારના વિકાસના કામો જન જન સુધી પહોંચાડવાં જાહેર કાર્યક્રમોં યોજાઇ રહ્યાં છે ત્યાંરે ભાજપા સરકારની
કામગીરીને નીચું દેખાડવાનું કામ રાજપીપળા
નગરપાલિકાના સત્તાધીશો કરી રહ્યાં હોવાનો આક્ષેપ પાલિકાના જ ભાજપાના ચૂંટાયેલા સદસ્યો કરે ત્યારે તો હદ કરી કહેવાય?

પાલિકાના મુખ્ય અધિકારી
દ્વારા સરદાર ટાઉન હોલ ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજનકરવામાં આવ્યું હતું. આ શિબિરનો
મુખ્ય હેતુ નાગરિકોને આવક-
જાતિના દાખલા, રેશનકાર્ડ સુધારા,ચૂંટણી કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ
જેવા સરકારી લાભો સીધા પૂરાપાડવાનો હતો. આ સરકારી કાર્યક્રમ
રાજપીપળા પાલિકા પ્રમુખ,
નાંદોદના પ્રાંત અધિકારી અને
પાલિકાના મુખ્ય અધિકારીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ કાર્યક્રમમાં હાજર રહેલા રાજપીપળા નગરપાલિકાના શાસક
પક્ષના નેતા પ્રગ્નેશ રામીએ
કાર્યક્રમની કામગીરી સામે સવાલોઉઠાવતા આક્ષેપ કર્યો છે કે, મુખ્ય અધિકારી દ્વારા પાલિકાના જ કર્મચારીઓને લાભાર્થી તરીકેદર્શાવીને આખો કાર્યક્રમ પૂરો કરી
દેવાયો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે,
અધિકારીઓની આવી
મિલીભગતના કારણે જ ગામના છેવાડાના અને જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાઓનો સાચો
લાભ હજુ સુધી મળી શક્યો નથી. આવા જવાબદાર અધિકારીઓને
લીધે જ ભાજપ સરકારનું નામ ખરાબ થાય છે, તેથી સરકાર દ્વારા આવા અધિકારીઓ સામે કડક
શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહીકરવામાં આવે તેવી માંગ પણ તેમણેકરી છે.જોકે આ માટે ભાજપાના નવા વારાયેલા પાલિકા પ્રમુખની પણ જવાબદારી બનતી હોઈ આ બાબતે પાલિકા પ્રમુખની પણ નિષ્ક્રિયતા છતી થઈ હતી. આમ નગરપાલિકાએ ભાજપાની ઇમેજ પણ બગાડી હતી.