અયોધ્યામાં તમામ વાહનો માટે ‘નો એન્ટ્રી’

અયોધ્યામાં તમામ વાહનોને પ્રવેશ બંધ

અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આ સ્થિતિમાં પ્રશાસને તાત્કાલિક અસરથી અયોધ્યા આવતા તમામ વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેથી આજે અયોધ્યામાં તમામ વાહનો માટે ‘નો એન્ટ્રી’ રહેશે. આ પ્રતિબંધ કેટલા દિવસ ચાલશે તેની માહિતી આપવામાં આવી નથી. લાખો ભક્તોની ભીડને કારણે મંદિરની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આ સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *