(દીપક જગતાપ, નર્મદા )
આઝાદીના 78 વર્ષ બાદ પણ નર્મદાનું તુમડાવાડી ગામ વિકાસથી વંચિત
દોજખ જેવી જિંદગી જીવતા આદિવાસીઑ
ગામના ખાડી કોતરમાંથી વાડકાથી બેડામાં પાણી ભારી માઈલો દૂર ચાલીને પાણી ભરવા આવે છે

.જિલ્લા પંચાયત ના નવા પ્રમુખ બન્યા પછી સૌથી પહેલું કામ ગામમા બોરવેલની સુવિધા કરાઈ.
રાજપીપળા, તા 31
આઝાદીના 78 વર્ષ બાદ પણ આદિવાસી વિસ્તાર ધરાવતા નર્મદાનુંઅંતરીયાળ તુમડાવાડી ગામ આજે પણ વિકાસથી વંચિત છે. એક તરફ વિશ્વની સૌથી ઊંચી ગતિ માથે છે યુનિટી નર્મદામાં આવેલી છે અને એના વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે ત્યારે આ નર્મદાના છેવાડાના આદિવાસી ગામમાં વિકાસ નથી પહોંચ્યો નથી એ અત્યારે ની વાત કહેવાય.દોજખ જેવી જિંદગી જીવતા આદિવાસીઑની દયનિય હાલત સરકાર માટે શરમજનક વાત ચોક્કસ કહેવાય.આશ્ચર્યની વાત તો એ છે કે અહીંની મહિલાઑ ગામના ખાડી કોતરમાંથી વાડકાથી બેડામાં પાણી ભારી માઈલો દૂર ચાલીને પાણી ભરવા આવે છે. ત્યારે મહિલા સશક્તિકરણની વાતો કાગળ પર રહી ગયેલી દેખાય છે.

જોકે જિલ્લા પંચાયત ના નવા પ્રમુખ બન્યા પછી સૌથી પહેલું કામ ગામમા બોરવેલની સુવિધા કરાઈત્યારે ગામ લોકોને માંડ પાણી નસીબ થશે પણ અન્ય ઘણી પ્રાથમિક સુવિધાઑથી આ ગામ આજે પણ વંચિત છે.
આઝાદીના દાયકાઓ પછી પણ જ્યાં વિકાસનું કિરણ હજુ સુધી પહોંચ્યું નથી, તેવું એક ગામ એટલે નર્મદા જિલ્લામાં આવેલું અને 600 લોકોની વસતી ધરાવતું તુમડાવાડી ગામ. ડિજિટલ ઇન્ડિયા અને ઘર-ઘર નળના દાવાઓ વચ્ચે આ ગામની વાસ્તવિકતા હૃદય કંપાવી દે તેવી છે. અહીંના ગ્રામજનો, માસૂમ બાળકો અને વૃદ્ધો પીવાના શુદ્ધ પાણીના એક—એક ટીપા માટે તરસી રહ્યા છે. ગામની નજીક આવેલા ગંદા ખાબોચિયાનું દૂષિત પાણી પીવું એ અહીંના લોકોની કોઈ પસંદગી નથી, પણ જીવવા માટેની આખરી મજબૂરી છે. ગામમાં વીજળી, પાણી અને રસ્તા સહિતની માળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળી રહયો છે.
ગામમાં સિંચાઈની કોઈ સુવિધા ન હોવાથી માત્ર ચોમાસા દરમિયાન જ ખેતી થઈ શકે છે. ગામના તમામ મકાનો કાચા અને ઝૂંપડપટ્ટી જેવા છે, તેમજ જંગલ ખાતા દ્વારા પાકા મકાન બનાવવા માટે પણ પરવાનગી આપવામાં આવતી નથી. હાલમાં માત્ર 41 લોકોના આધારકાર્ડ બન્યા છે, જ્યારે અનેક લોકો પાસે રાશનકાર્ડ અને ઘરવેરાની પાવતી પણ નથી. ગામમાં હાલમાં અંદાજે 150 જેટલા મકાનો છે,બાજુના દુધલીવેર ગામના ખેડૂતો માટેની AG વિદ્યુત લાઈન તુંબડાવાડી ગામમાંથી પસાર થાય છે, છતાં ગામમાં આજદિન સુધી વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી
આશ્ચર્યની વાત એ છે કે ભાજપા સત્તામાં હોવા છતાં સરકારની કરોડોની યોજના અમલી હોવા છતાં તુમડાવાડી, અને દૂધલીવેર જેવા ગામો વિકાસથી વંચિત કેમ હતાં? તંત્રની નજર આવાં છેવાડાના ગામ સુધી કેમ નથી પહોંચી? કદાચ આજ કારણથી મતદારોએ ભાજપને હરાવી આપને સત્તા પર બેસાડી છે ત્યારે આપ પણ હવે વિકાસના કામો કેવા આગળ કરે છે એ પણ હવે જોવું રહ્યું. નર્મદા જિલ્લા પંચાયત ના નવા પ્રમુખ બન્યા પછી સૌથી પહેલું કામ આ ગામમા બોરવેલની સુવિધા કરાઈ છે પીવાના પાણીની વ્યવસ્થા કરતાં ગામમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
તસવીર :દીપક જગતાપ, રાજપીપળા
…