પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન મહેશ વસાવાના રાજીનામાં પ્રશ્ને સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી

પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન મહેશ વસાવાના રાજીનામાં પ્રશ્ને સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી

મહેશ વસાવા એ રાજકીય કારકિર્દી બનાવવી હોય તો કોઈ એક જ પાર્ટીમાં સ્થિર રહેવું જોઈએ

રાજપીપળા, તા 28

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ભરૂચ જિલ્લાના રાજકારણમાં એક મોટો ગરમાવો આવી ગયો છે. આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસ પાર્ટીમાંથી તાત્કાલિક અસરે રાજીનામું આપી દીધું છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં મોટા પાયે આર્થિક સોદાબાજી થઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે તેમણે પક્ષને અલવિદા કહી દીધું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ બીટીપી (BTP) અને ત્યારબાદ ભાજપમાં જોડાયા પછી, ગત જાન્યુઆરી મહિનામાં જ તેઓ સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસમાં સામેલ થયા હતા. મહેશ વસાવાના રાજીનામાં પ્રશ્ને સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવીછે.

સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે કહ્યું કે કોંગ્રેસના રાજીનામાં બાદ હવે મહેશ વસાવા આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે
મહેશ છોટુ વસાવા રાજકીય રીતે સ્થિર નથી એમ જણાવી તેમની રાજકીય અપરીપકવતા
ની નિશાની હોવાનું જણાવ્યું હતું.
મહેશ વસાવા બીટીપી માંથી આપમાં ગયા, પછી ભાજપમાં આવ્યા ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા હવે કોંગ્રેસ પણ એમને રાસ આવી નથી.

છોટુ વસાવા અને મહેશ વસાવાના પરિવારના લોકો આમ આદમી પાર્ટી સાથે જ જોડાયેલા છે.બી. ટી. પી અને આદિવાસી ની તાકાતને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ તોડી છે.ભાજપનું શીર્ષ નેતૃત્વ પણ કેહતું હતું કે છોટુભાઈ વસાવા આદિવાસીઓ ના હક માટે લડે છે એટલે એમની વિચારધારા ને નુકશાન નથી પહોંચાડવું.જે ચૈતર વસાવાએ બી ટી પી અને આદિવાસીની તાકાત તોડી છે. એ જ ચૈતર વસાવા સાથે મહેશ વસાવા સાથે મિલીભગત કરે છે એમની રાજનીતિ સમજાતી નથી.કોંગ્રેસ, ભાજપ કે કોઈ પણ પક્ષ હોય ટિકિટ માટે સોદાબાજી થતી જ હોય છે.
જો રાજકીય પક્ષ અનુકૂળ ના રહેતો હોય તો આપણે અનુકૂળ થવું પડે.
મહેશ વસાવા એ રાજકીય કારકિર્દી બનાવવી હોય તો કોઈ એક જ પાર્ટીમાં સ્થિર રહેવું જોઈએ

સાંસદ મહેશ વસાવા સામે કર્યા આકરા પ્રહારો.

તસવીર :દીપક જગતાપ, રાજપીપળા