રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 3 માં ભાજપના ત્રણ ઉમેદવારો કેમ હાર્યા?
ભાજપના ઉમેદવાર પૂર્વ પ્રમુખ પણ હાર્યા
અને ત્રણ અપક્ષો કેમ જીત્યા?
હાલના કારણોનું પોસ્ટમોર્ટમ શરૂ થયું
સોમનાથ કાર્યક્રમમાં સામાન્ય નાગરિકોને લઈ જવાને બદલે ભાજપાના કાર્યકરો ની ફેમિલિને લઈ જતા રોષ
રાજપીપળા, તા 18
રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 3 માં ભાજપના ત્રણ ઉમેદવારો કેમ હાર્યા?અને એની સામે ત્રણ અપક્ષો કેમ જીત્યા? આ હારજીતના કારણો હવે બહાર આવી રહ્યાં છે.
ભાજપા વર્તુળોમાંથી જાણવા મળેલ માહિતી પ્રમાણે
રાજપીપળા નગરપાલિકાની કુલ 7વોર્ડ ના 28 ઉમેદવારોની ચૂંટણી થઈ હતી તેમાં 25 બેઠકો જીતીને ભાજપે બહુમતી મેળવી ફરી એકવાર સત્તામાં આવી છે. પણ આ ચૂંટણીમાં વોર્ડ નંબર 3માં ઘણા અપસેટ સર્જાયેલાજોવા મળ્યા છે. વોર્ડ નંબર ત્રણમાં ભાજપનો એક જ ઉમેદવાર જીત્યો અને ત્રણ ઉમેદવાર હાર્યા છે. એની સામે અપક્ષના ત્રણ ઉમેદવાર જીત્યા છે.
જેમાં ભાજપના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા ભારતીબેન વસાવા વોર્ડ નંબર 3માં ભાજપની બેઠક પરથી હારી ગયા. એ સૌથી મોટો અપસેટ સર્જાયો છે.. બધા વોર્ડમાં ભાજપ જીત્યું પણ વોર્ડ 3માં ભાજપ કેમ હાર્યું?તેના કારણો પણ સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખાસ તો જ્યારે સોમનાથના કાર્યક્રમ માં જવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સામાન્ય નાગરિકોને લાભ મળે તેવી વ્યવસ્થા કરવાનો આદેશ હતો હતી. પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે સોમનાથ જવાનો લાભ સામાન્ય નાગરિકોને પણ મળે. પણ વોર્ડ નંબર 3 માં તેવું થયું નહીં. આ વોર્ડમાં જે ભાજપના ઉમેદવારો જીત્યા છે એમના પરિવારજનો અને ભાજપાના જ કાર્યકરોની ફેમિલિ જ સોમનાથ ભાજપના પૈસા ફરી આવ્યા.?!અને બીજા રહી ગયા?!આશ્ચર્યની વાત તો એ હતી કે એક જ ફેમિલી માંથી ચાર ચાર,પાંચ પાંચ જણાએ આ નામો લખાવી દીધા હતાં.જેને કારણે વોર્ડ નંબર 3ના સામાન્ય લોકો રહી ગયા. આ અંગે ભાજપના કાર્યકરો દ્વારા જિલ્લા પ્રમુખ નીલ રાવસમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પણ જિલ્લા પ્રમુખે આ વાત ગંભીરતાથી લીધી નહીં અને ગોળ ગોળ જવાબ મળ્યો કે હવે બીજી વાર જોઈ લઈશું. એને કારણે સામાન્ય નાગરિકોને આ લાભ ન મળતા વોર્ડ નંબર 3ના મતદારોમાં ભારે નારાજગી જોવા મળી હતી. અને મતદારોએ ભાજપની વિરુદ્ધ મતદાન કર્યું. જેને કારણે ભાજપે ત્રણ બેઠકો ગુમાવી.
એટલું જ નહીં આ વોર્ડમાંથી ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નહીં. જેના કારણે એકમાત્ર અપક્ષના મુસ્લિમ ઉમેદવાર જે ઊભા રહ્યાહતાં ત્યારે તમામ મુસ્લિમ ઉમેદવારે કચકચવીને મતદાન કરીને મુસ્લિમ અપક્ષ ઉમેદવાર ઇલમુદ્દીન બક્ષીને જીતાડી દીધા. જો ભાજપે મુસ્લિમ અપક્ષ ઉમેદવાર સામે ભાજપાનો ઉમેદવાર ઊભો રાખ્યો હોત તો પરિણામ જુદું જ આવત.જો આમાં ભાજપ એ પોતાની ભૂલ સુધારી હોત તો ભાજપની તમામ 28 બેઠકો ભાજપને ફાળે જાત અને ગુજરાતના અને નગર રાજપીપલા નગરપાલિકાના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કરી શક્યા હોત.આ હાર માટે પણ જિલ્લા પ્રમુખ સામે જ માછલા ધોવાયાં હતા
તસ્વીર :દીપક જગતાપ, રાજપીપળા