નર્મદાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસનો કરુણ રકાસ

નર્મદાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસનો કરુણ રકાસ

કુલ 151 બેઠકોમાથી સમ ખાવા પૂરતી માત્ર 4 બેઠકો કોંગ્રેસને ફાળે?!

વિરોધ પક્ષમાં પણ બેસવાને લાયક ના રહીં

અત્યાર સુધીમાં કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન.

ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપા અને આપ માં જોડાઈ જતા કોંગ્રેસમા સર્જાયો શૂન્યવકાશ.

ભાજપ અને આમ આદમી પાર્ટી સામે કોંગ્રેસ હાંસીયા ધકેલાઈ ગઈ

રાજપીપલા, તા 30

નર્મદાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે.અત્યાર સુધીમાં કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન. કહી શકાય.નર્મદા જિલ્લા પંચાયત, છ તાલુકા પંચાયત અને એક રાજપીપળા નગરપાલિકાની કુલ 151 બેઠકો. પૈકી કોંગ્રેસે 123 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતાં તેમાંથી કોંગ્રેસે માત્ર 4 બેઠકો પર વિજય મેળવ્યો છે.

બેઠકવાર જોઈએ તો નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો પર કોંગ્રેસે 22 ઉમેરો ઊભા રાખ્યા હતા પણ એવા કોઈ એક કોંગ્રેસને ફાળે આવી નથી. એટલે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે ઝીરો પુરવાર થયા છે.

ભાભર તાલુકા પંચાયત પર 17બેઠકમાંથી એકમાત્ર સીટ કોંગ્રેસને મળી છે.જયારે ગરૂડેશ્વરની 16 માંથી એક પણ બેઠક કોંગ્રેસને મળી નથી. તો એકમાત્ર તિલકવાડા તાલુકા પંચાયત 16 માંથી ત્રણ બેઠકો કોંગ્રેસને મળી છે. જયારે 18 માંથી કોંગ્રેસને 0, સાતબારાની 18 માંથી કોંગ્રેસને 0, સાગબારા તાલુકા પંચાયતની 18માંથી કોંગ્રેસને 0,એજ પ્રમાણે ચીકદા તાલુકા પંચાયત માં 16 માંથી 0, અને રાજપીપળા નગરપાલિકાની 28 બેઠકોમાંથી કોંગ્રેસને0 બેઠકો મળી છે.આમ 151 બેઠકો માંથી માત્ર 4 જ બેઠકો કોંગ્રેસને મળીછે. જેમાં નાંદોદ અને તિલકવાડા પંચાયત સિવાય બાકીની તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસને શૂન્ય 0 સીટ મળી છે. કદાચ નર્મદા જિલ્લાના ઇતિહાસમાં કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન કહીશકાય. એટલું ખરાબ પ્રદર્શન કે વિરોધ પક્ષમાં બેસવાને પણ કોંગ્રેસ
લાયક રહી નથી.

કોંગ્રેસની કરારી હાર થવા છતાં કોંગ્રેસના કોઇ પણ નેતાએ ખાસ કરીને જિલ્લા પ્રમુખે હાર સ્વીકારી નથી કે હાર માટે પોતાને જવાબદાર ઠેરવ્યા નથી. ચૂંટણીમાં હાર જીત તો થતી રહે છે પણ હારમાંથી બોધપાઠ લઈને સંગઠન મજબૂત કરે તો ઘણું છે

કોંગ્રેસે ઉમેદવારો તો મેદાનમાં ઉતાર્યા પણ પ્રચારની કામગીરીમાં પણ નિષ્ફ્ળ નીવડ્યા નહોતા. એ માટે જિલ્લા પ્રમુખની અને કોંગ્રેસના સિનિયર નેતાઓની નિષ્ફળતા સામે આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખની જવાબદારી હતી. જે સુપેરે નીભાવવામાં જિલ્લા પ્રમુખ નિષ્ફળ નીવડ્યા છે. કોંગ્રેસના નેતાઓ આમેય વર્ષ દરમ્યાન જનતા સુધી પહોંચવા નિષ્ફ્ળ રહ્યાં. ખાસ તો
ચૂંટણી પહેલા કોંગ્રેસના મજબૂત અને સિનિયર નેતાઓ અને આગેવાનો કોંગ્રેસ છોડીને આપ અને ભાજપામાં જતા રહ્યાં. જેનો મોટો ફટકો કોંગ્રેસને પડ્યો. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસનું સૌથી ખરાબ અને નબળું પ્રદર્શન રહ્યું. જેની ગંભીર નોંધ પ્રદેશ કક્ષાએ લેવાઈ છે. કોંગ્રેસે ઘરમૂળથી નર્મદા ના સંગઠન માં ફેરફાર કરવાની જરૂર છે. વિરોધ પક્ષની મજબૂત ભૂમિકા ભજવી શકે એવો એક પણ નેતા કોંગ્રેસ પાસે રહ્યો નથી વિરોધ કરી શકે એવા એગ્રેસીવ અને ફાયરબ્રાન્ડ નેતા નર્મદામાં કોંગ્રેસ પાસે નથી જેની ખોટ કોંગ્રેસને વર્તાઇ રહી છે. કાર્યકર્તાઓનું માન સન્માન જળવાતું ન હોવાથી એક પછી એક કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી રહ્યાં છે ત્યારે પ્રદેશ કક્ષાએ ડેમેજ કંટ્રોલ કરવું જરૂરી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આટલા વર્ષો પછી નર્મદામાં કોંગ્રેસનું પોતાનું કહી શકાય એવું કાયમી કોંગ્રેસ કાર્યાલય પણ નથી. એટલું જ નહીં નર્મદામાં ભાજપા અને આપ પાસે જેટલું પાવરફૂંલ સોસીયલ મીડિયા છે એવું પાવરફૂલ સોસીયલ. મીડિયા કોંગ્રેસ પાસે નથી. જો આવી જ નબળી કામગીરી રહેશે તો આગામી વિદધાન સભામાં પણ કોંગ્રેસને શરમજનક હારનો સામનો કરવો પડે તો નવાઈ નહીં ત્યારે અત્યારથી જ નર્મદા કોંગ્રેસ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાથી બોધપાઠ નહીં મેળવે અને રાજકારણના પાઠ નહીં શીખે તો પછી કોંગ્રેસને પ્રજા પણ બચાવી નહીં શકે. ત્યારે હવે કોંગ્રેસ અત્યારથી જ પાણી પહેલા પાળ બાંધે અને મહેનત કરે એજ કોંગ્રેસ માટે તાતી જરૂરિયાત છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા