સંકલ્પથી સિદ્ધિ સુધી – મોદી સરકારના ૧૧ વર્ષના સુશાસનની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાની કાર્યશાળારાજપીપલા કમલમ ખાતે યોજાઈ

સંકલ્પથી સિદ્ધિ સુધી – મોદી સરકારના ૧૧ વર્ષના સુશાસનની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાની કાર્યશાળારાજપીપલા કમલમ ખાતે યોજાઈ

રાજપીપલા, તા 3

સંકલ્પથી સિદ્ધિ સુધી – મોદી સરકારના ૧૧ વર્ષના સુશાસનની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાની કાર્યશાળા રાજપીપલા કમલમ કાર્યાલય ખાતે યોજાઈ હતી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકારના ૧૧ વર્ષના વિજન અને લોકકલ્યાણકારી કાર્યકાળની ઉજવણી “સંકલ્પથી સિદ્ધિ સુધી” શીર્ષક હેઠળ દેશભરમાં ઉજવાઈ રહી છે. તે અનુસંધાનમાં આજે જિલ્લા કક્ષાની વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યશાળામાં લોકસભાના સાંસદ માન. મનસુખભાઈ વસાવા, પૂર્વ ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા, હાલના જિલ્લા પ્રમુખ શ્રી નીલ રાવ, પૂર્વ પ્રમુખો,પૂર્વ ધારાસભ્યો, જિલ્લાના હોદ્દેદારો, મોરચાના પ્રમુખો તથા મહામંત્રીઓ, મંડળના પ્રમુખો-મહામંત્રીઓ અને મોટી સંખ્યામાં સમર્પિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા.

કાર્યશાળામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા આગેવાનોએ મોદી સરકારના ૧૧ વર્ષ દરમિયાન થયેલ અભૂતપૂર્વ વિકાસકાર્યો, જનહિતના ઐતિહાસિક નિર્ણયો અને good governance ના મજબૂત સંકલ્પ વિશે વિસ્તૃત માહિતી આપી. ઉપરાંત, આ સિદ્ધિઓને ઘરઘર સુધી પહોંચાડવા માટે સુસંગત રણનીતિ અને કામગીરીના માર્ગદર્શનો આપવામાં આવ્યા.

આ કાર્યક્રમ દ્વારા સંગઠનના દરેક સ્તરે કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે અને સમગ્ર જિલ્લામા જનજાગૃતિના અભિયાનને વેગ મળ્યો છે.

કાર્યકર્તાઓ એ સંકલ્પ લીધો કે અમે ઘોષણા કરીએ છીએ કે “મોદી સરકાર ના ૧૧ વર્ષ – વિકાસ, વિશ્વાસ અને વિજયના વર્ષ” લોકોને પ્રેરણાદાયક માર્ગદર્શિકા તરીકે ફરીવાર ભવિષ્ય નિર્માણ માટે સમર્પિત રહેશે.

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા