“સિંદૂર યાત્રા સાથે રાષ્ટ્ર”
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રબળ નેતૃત્વમાં ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર”ને સફળતાપૂર્વક પૂર્ણ કરી સમગ્ર વિશ્વમાં આપણી શૌર્યશાળી તાકાતનો પરિચય આપ્યો છે.
વીર જવાનોના આ અદમ્ય સાહસને બિરદાવવા માટે માન. રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં પેટલાદ ખાતે દેશભક્તિથી ભરેલા સેંકડો નાગરિકોએ “તિરંગા યાત્રા”માં ભાગ લઇ ભારતીય સેનાનાં જયઘોષ સાથે રાષ્ટ્રભાવનાને ઉજાગર કરી.
આ યાત્રા માત્ર એક ઉપક્રમ નથી—આ રાષ્ટ્રપ્રેમની ઊંડી અભિવ્યક્તિ છે, જે માઁ ભોમ માટેની અટૂટ નિષ્ઠા અને આપણાં સંવૈધાનિક મૂલ્યો માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.