નર્મદા RTE ખોટા દાખલા પ્રકરણ
માં હવે નવા વળાંકો આવ્યાછે
ખોટા દાખલા પ્રકરણમાં સાંસદ મનસુખ વસાવા અનેધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને આવી ગયા
નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ નિરંજન વસાવા પણ આ કૌભાંડ માં સામેલ છે તેના મિત્ર છે
દર્પણ પટેલ -સાંસદ મનસુખ વસાવા
ખોટા દસ્તાવેજોના આરોપીઓને ભાજપના ઘણા નેતાઓ છાવરી રહ્યા છે -ચૈતર વસાવા
રાજપીપલા, તા 19
નર્મદા RTE ખોટા દાખલા પ્રકરણ
માં હવે નવા વળાંકો આવ્યાછે.આ પ્રકરણમાં વધુ એક પોલીસ ફરિયાદ થઈ છે. જેમાં હજી સુધી એકપણ આરોપી પકડાયો નથી ત્યારે આ વિવાદિત ખોટા દાખલા પ્રકરણમાં સાંસદ મનસુખ વસાવા અનેધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને આવી ગયા છે બન્ને નેતાઓ એકબીજા પર આક્ષેપો કરતા નર્મદા નું રાજકારણ ગરમાયું છે.
સાંસદે મનસુખ વસાવાએઆપ પાર્ટી સામે આક્ષેપ કરતા જણાવ્યું છે કે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પણ આ કૌભાંડ
માં સામેલ છે. અને તેના મિત્ર છે દર્પણ પટેલ છે જે આ પ્રકરણનામુખ્ય આરોપી છે.
મનસુખ વસાવાએ ત્રણે પક્ષના નેતાઓ આ પ્રકરણમાં સામેલ હોવા છતાં કોઇ બોલતું નથી એમ જણાવી આ પ્રકરણમાં આપ, કોંગ્રેસ, ભાજપાના નેતાઓ પણ સામેલ હોવાનોસાંસદે ગંભીર આક્ષેપ કર્યો છે. જોકે આમા ભાજપા નેતા ઘનશ્યામ પટેલ નો આ પ્રકર ણ સાથે કોઇ લેવા દેવા નથી. ઘનસ્યામ પટેલે પણ જણાવ્યું હતુંદર્પણ પટેલ કે આ પ્રકરણ સાથે મારે કોઇ લેવા દેવા નથી.
ભાજપના નેતાઓ સામેલ છે તે બાબતે વધુમાં સાંસદે કહ્યું કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ ખોટા દસ્તાવેજ કૌભાંડ માં સામેલ છે મારા સિવાય કેમ કોઈ બોલતા નથી?ભાજપ ના નેતાઓ કે કોંગ્રેસના નેતાઓ પણ આ બાબતે કશું નથી બોલ્યા તો
ચૈતર વસાવા પણ લેટ બોલ્યા છે 15 દિવસ સુધી ચૈતર વસાવા કેમ નથી બોલ્યા?એવો સીધો આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા સામે કર્યોછે
તો બીજી તરફ ચૈતર વસાવાએ પણ આ પ્રકરણમાં ભાજપના નેતાઓની સંડોવણી છે તેમ કહી
RTE ખોટા દાખલા બાબતે ડેડીયાપાડા આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા નર્મદા નું રાજકારણ ગરમાયું છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ
ખોટા દસ્તાવેજોના આરોપીઓને ભાજપના ઘણા નેતાઓ છાવરી રહ્યા છે અને નર્મદા પોલીસ ગોકળગાયની ગતિએ કામગીરી કરી રહી હોવાનું જણાવ્યું હતું.
જયારે આજે વધુ એક નવી ફરિયાદ ખોટા દસ્તાવેજો બાબતે
રાજપીપલા પોલીસ મથકે નોંધાઈ છે આ અંગે નર્મદા એ એસ પી લોકેશ યાદવે માહિતી આપતાં
જણાવ્યું કે SIT ની તપાસ દરમિયાન ચિત્રવાડી ગામમાં પણ ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને એડમિશન કરાવવામાં આવ્યા છે જે બબાતે પણ ફરિયાદ નોંધાઇ છે
નકલી ઇન્કમ સર્ટી કૌભાંડમાં વધુ એક પોલીસ ફરિયાદ ચિત્રાવાડી ગ્રામ પંચાયતના તલાટીએ ફરિયાદ નોંધાવી છે.અગાઉ અન્ય પંચાયતે પણ ફરિયાદ કરી હતી આમ
મુખ્ય આરોપી દર્પણ પટેલ સહિત અન્ય 8 સામે ફરિયાદ નોંધાઈ છે.
આ કેસમાં નર્મદા પોલીસે એસ.આઇ.ટી ની રચના કરી છે. જેમાં વિધવા સહાય અન્ય સરકારી યોજનાનો ખોટો લાભ લેવાનું કૌભાંડ રચ્યું છે.જોકે આ વાદ વિવાદ પ્રકરણનાતપાસ ધીમી ચાલી રહી હોવાનો આક્ષેપ થયો છે. 15દિવસ થી વધુ સમયથઈ ગયો હોવા છતાં હજી સુધી એક પણ આરોપી ઝડપાયો ન હોવાથીઆ પ્રકરણમાં ભીનું સંકેલાવા ની દહેશત વ્યક્ત કરાઈ રહી છે. હવે એ જોવું રહ્યું કે પોલીસ આરોપીઓ ને પકડવા માં સફળ થાય છે કે નહીં?
તસવીર:દીપક જગતાપ, રાજપીપલા