ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીની નર્મદાની મુલાકાત
પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી અને અમે પણ આતંકવાદ ની સામે લડવા એક સાથે રહીશું.
-ગિરીશ ચોંડરકર (પ્રભારી, એ આઈ સી સી)
તમામ જિલ્લાઓમાં કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા પ્રમુખની નિમણૂક કરવામાં આવશે.
કોંગ્રેસ હવે ભાજપ ની જેમ ગુજરાત ને પ્રયોગશાળા સમજી ને આગળ કામ કરી રહી છે
આગામી સમય માં દેશ માં જે પણ બદલાવ આવશે તે ગુજરાત માંથી જ આવશે
રાજપીપલા, તા23
નર્મદામાં એ આઈ સી સી ના પ્રભારી ગિરીશ ચોંડરકર એ કહ્યું કે કોંગ્રેસ ના સમયમાં આતંકવાદીઓ સામે કાર્યવાહીઓ કરી છે અને આતંકવાદીઓને પકડ્યા પણ છે.પણ બીજી સરકારોએ પકડેલા આતંકવાદીઓ ને છોડ્યા પહેલગામ માં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરીએ છીએ અને અમે પણ આતંકવાદ ની સામે લડવા એક સાથે રહીશું.
રાહુલ ગાંધીએ હાલમાં ગુજરાત ની મુલાકાત કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસનું મોટુ અધિવેશન થયું હતું જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તમામ જિલ્લાઓમાં કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા પ્રમુખની નિમણૂક કરવામાં આવશે. એ જ પ્રકારે ભાજપમાં જિલ્લા પ્રમુખની નિમણુંક કરવાની પ્રક્રિયા છે તે જ પ્રકારની પ્રક્રિયા કોંગ્રેસે અપનાવી છે જે સંદર્ભે આજે નર્મદા જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ માટે એ આઈ સી સી ના પ્રભારી ગિરીશ ચોંડરકરે સંગઠન અભિયાનમાં હાજરી આપી અને રાહુલ ગાંધી એ કહયું તે પ્રમાણે પ્રમુખની નિમણુંક કરવામાં આવશે.હવે દિલ્હીથી નહિ પણ જિલ્લામાં આવતો કાર્યકર્તા નામ આપશે અને ત્યારબાદ નિમણુક કરવમાં આવશે. કોંગ્રેસ હવે ભાજપ ની જેમ ગુજરાત ને પ્રયોગશાળા સમજી ને આગળ કામ કરી રહી છે કોંગ્રેસ કહે છે કે આગામી સમય માં દેશ માં જે પણ બદલાવ આવશે તે ગુજરાત માંથી જ આવશે
એ આઈ સી સી ના પ્રભારીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિશે કહ્યું કે 20 વર્ષમાં આટલો મોટો આતંકી હુમલો દેશમાં કોઈએ જોયો નથી. જે પ્રવાસીઓ ના મૃત્યુ થયા છે એ બાબતે કોંગ્રેસ પાર્ટી એ દુઃખ વ્યક્ત કર્યું છે.કોંગ્રેસ પાર્ટી હાલ એક થઈને જે પણ ઘટના બની છે તેની સામે કેવી રીતે લડી શકાય તેના વિશે વિચારી રહી છે.જે પણ લોકોએ હુમલો કર્યો છે તેમને સજા જરૂર મળવી જોઈએ.આતંકવાદી જે પણ કરે છે તેની કોંગ્રેસ પાર્ટી નિંદા કરે છે.આતંકવાદની સામે કોઈએ મુકાબલો કર્યો છે તો એ કોંગ્રેસ સરકાર છે.ઇતિહાસમાં કોંગ્રેસ સરકારમાં કેટલાય આતંકવાદીઓને પકડ્યા છે.અને કોણે આતંકવાદી ઓને છોડ્યા છે એ પણ દેશ ના નાગરિકો ને ખબર છે. એમ જણાવ્યું હતું
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા