ભારતે યુદ્ધ જહાજ ઉતાર્યું
પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાનને ચારે બાજુથી ઘેરી રહ્યું છે. હવે ભારતે વિમાનવાહક જહાજ INS વિક્રાંતને સમુદ્રમાં ઉતાર્યું છે. તેના પર મિગ-૨૯ જેવા ફાઇટર જેટ તૈનાત છે. આ મહિને આ વિમાનવાહક જહાજ પર 26 રાફેલ મરીન જેટ પણ તૈનાત કરવામાં આવશે. અગાઉ, ભારતીય નૌકાદળે યુદ્ધ જહાજ INS સુરતથી જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.