કુમકુમ આનંદધામ ખાતે બુધવારે ભાદરવા સુદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે.

કુમકુમ આનંદધામ ખાતે બુધવારે ભાદરવા સુદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે.

તારીખ 18 સપ્ટેમ્બર બુધવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ -આનંદધામ હિરાપુર ખાતે પૂર્ણિમાની ઉજવણી સાંજે 5 – 00 થી 8 – 00 કરવામાં આવશે.

આ પ્રસંગે શ્રી અબજી બાપાશ્રીની વાતોની પારાયણ, ધૂન, ભજન – કીર્તન કરવામાં આવશે.

આ પણ વાંચો: *જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે શ્રી યંત્રની સ્તુતિનું વિમોચન કરાયુ*

આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલ દાસજી સ્વામી જીવનનો ધ્યેય શું રાખવો જોઈએ ? એ વિષય ઉપર પ્રવચન આપશે.

સત્સંગ સભાના અંતે સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીની સ્મૃતિ રૂપ છત્રી સ્થાન ઉપર સમૂહ આરતી કરવામાં આવશે.

One thought on “કુમકુમ આનંદધામ ખાતે બુધવારે ભાદરવા સુદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *