નવરાત્રી: અહીં આધારકાર્ડ અને ફોટાના આધારે મળશે એન્ટ્રી પાસ
નવરાત્રી પહેલા છેલ્લા ઘણા સમયથી લવ જેહાદના કેસ વધતા રાજકોટમાં મોટો નિર્ણય લેવાયો છે. ગરબા આયોજકોને ખેલૈયાઓને આધારકાર્ડ અને ફોટાના આધારે એન્ટ્રી પાસ આપવા કહેવાયું છે. રાજકોટમાં સહિયર રાસોત્સવના સંચાલક સુરેન્દ્રસિંહ વાળાએ દાંડિયા સંચાલકોને કહ્યું છે કે, આયોજકો પાસ ઇસ્યુ કરે ત્યારે આધારકાર્ડ અને ફોટા લે, લવ જેહાદના કિસ્સા ન થાય તે માટે આઈકાર્ડ લઈને જ પાસ કાઢે.