અંબાજી મંદિરમાં આવતીકાલથી ભાદરવી પૂનમનો મેળો શરુ

અંબાજી મંદિરમાં આવતીકાલથી ભાદરવી પૂનમનો મેળો શરુ

અંબાજી ભાદરવી પૂનમનો મેળો કાલથી શરુ થવા જઈ રહ્યો છે. અહીં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી 51 શક્તિપીઠોમાંનું એક છે. તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ જગ્યાએ નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા કરાઈ છે. નિ:શુલ્ક ભોજન અંબિકા ભોજનાલય, દિવાલી બા સદન, અને ગબ્બર તળેટીથી મળી રહેશે. આ મેળામાં હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. અને માતાના દર્શન કરતા હોય છે.