અહીં રામ નામ લખેલા મંત્રવાળા પુસ્તકોની થાય છે પૂજા.

સુરતના એક રામ મંદિરમાં ભગવાનની મૂર્તિ કે તસવીરની પૂજા કરવામાં આવતી નથી. પણ ભગવાન રામના નામ લખેલા મંત્રવાળા પુસ્તકોની પૂજા થાય છે. આ મંદિરમાં 1100 કરોડ રામ મંત્ર સ્થાપિત થયા છે. અત્યાર સુધીમાં 950 કરોડ મંત્ર સ્થાપિત થઈ ચૂક્યા છે. આ મંદિર સુરત શહેરના અડાજણ પાલ રોડ પર કેબલ બ્રિજ નજીક સ્ટાર બજાર સામે આવેલું છે. અહીં રામજી મંદિરની પાસે શ્રી રામનામ મંદિર બનાવવામાં આવ્યું છે.