માતાના મઢ જતા પદયાત્રીઓ માટે 78 વર્ષના બાનો પરિવાર 31 વર્ષથી સતત સેવા

સંજીવ રાજપૂત
જામનગર

માતાના મઢ જતા પદયાત્રીઓ માટે 78 વર્ષના બાનો પરિવાર 31 વર્ષથી સતત સેવા આપે છે..

માતાના મઢ ખાતે માં આશાપુરના દર્શન માટે પદયાત્રીઓનું પ્રયાણ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે જામનગરના ગુલાબ નગર ખાતે આશરે 78 વર્ષના રાજકુંવરબા જાડેજાનો પરિવાર 31 વર્ષ થી માતાના મઢ પર જતાં પદયાત્રિકોને ની:સ્વાર્થ સેવા અર્પણ કરી રહ્યો છે.

કચ્છના માતા ના મઢ ખાતે આરાધ્ય દેવી માં આશાપુરના દર્શને જવા પદયાત્રીઓનું પ્રયાણ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે જામનગરના ગુલાબનગર ખાતે આવેલ ઓમ શ્રી જય આશાપુરા મિત્ર મંડળ છેલ્લા 31વર્ષથી માઇભક્તોને અવિરત સેવા અર્પણ કરી રહ્યું છે. આ સેવા કેમ્પના સર્વેસર્વા કહી શકાય એવા આશરે 76 વર્ષના રાજકુંવરબા જાડેજા પૂર્ણ ભક્તિ અને શક્તિ સાથે આ આયુમાં પણ પોતાના પરિવારના તમામ લોકો સાથે માં આશાપુરાની સેવા કાજે 31 વર્ષથી પગપાળા જતા ભક્તો માટે નિરંતર ચા, નાસ્તો, ભોજનનો પ્રસાદની સેવા આપતા નજરે પડે છે. બા ની વાત કરવામાં આવે તો તેઓએ 8 લોકોના સંઘરૂપે માતાના મઢ પગપાળા જવાનું શરૂ કર્યું હતું અને હવે આ ઉંમરે પણ હવે તેઓ પરિવારના લોકો સાથે માં આશાપુરાની સેવા કરવાના પ્રણ સાથે માઇભક્તોની સેવા કરવા પાછા પડતા નથી. આ સેવા કેમ્પમાં બાના પરિવારના મહિલાઓ, બાળકો સહિત તમામ સભ્યોમાં આશાપુરાની સેવા કાજે જોડાય છે અને આવનારી પેઢી પણ આ સેવા આપતી રહેશે. આજેય પણ આ આયુમાં બાની માઇભક્તોની સેવકાજે હિંમત, આસ્થા અને અતૂટ શ્રદ્ધા સેવા ભકતોને મીઠા બોલ સાથેના પ્રસાદ ગ્રહણના આવકાર ના સ્મિત સાથે જોવા મળે છે.