યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા ચાંદખેડાના રહીશો માટે તારીખ 11 ઓગસ્ટ 2024 ના રોજ નિઃશુલ્ક ઓબેસિટી નિદાન અને સલાહ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા ચાંદખેડાના રહીશો માટે તારીખ 11 ઓગસ્ટ 2024 ના રોજ નિઃશુલ્ક ઓબેસિટી નિદાન અને સલાહ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 70 થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પ માં નિઃશુલ્ક સુગર ટેસ્ટ, કોલેસ્ટ્રેરોલ ટેસ્ટ, બધા માટે કરવામાં આવ્યો અને સાથે વધારે પડતું વજન કેવી રીતે ઓછું કરવું?, વધતુ વજન કેવી રીતે અટકાવવું? આયુર્વેદિક પ્રકૃતિ પ્રમાણે કેવી રીતે આહાર ગ્રહણ કરવો? દિનચર્યા માં શું શું ફેરફાર કરવા? આની સલાહ અનુભવી વૈદ્ય દ્વારા આપવામાં આવી.

યુ ફર્સ્ટ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી વિનયભાઈ ભટ્ટ એ આ કેમ્પ ની અંદર સેવા આપનાર વૈદ્યશ્રી સમીર દવે, પેથોલોજીસ્ટ શ્રી કુણાલભાઈ, એમએએફ ફિટનેસ ના પાર્ટનર શિલ્પી દેબનાથ ના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ભવિષ્યમાં સાથે મળીને આ રીતના કેમ્પ થકી લોકોની સેવા અને માનવ કલ્યાણના કાર્યો કરતા રહીએ એવી શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો: *અમદાવાદીઓ ધ્યાન રાખજો!*

0 thoughts on “યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા ચાંદખેડાના રહીશો માટે તારીખ 11 ઓગસ્ટ 2024 ના રોજ નિઃશુલ્ક ઓબેસિટી નિદાન અને સલાહ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *