જાતીય સતામણીના કેસમાં જાહેર કરી નવી ગાઈડલાઈન ગુજરાત સરકારે..

HCના નિર્દેશ બાદ ગુજરાત સરકારે અસામાજિક પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ હેઠળ અટકાયતના આદેશ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ ગુનાનો ઈતિહાસ નહીં ધરાવતી વ્યક્તિ પર પાસાનો અમલ ટાળવો. આ ઉપરાંત જાતીય સતામણીના કેસમાં પણ જો સહમતિથી સંબંધની ઘટના હોય તો પાસાને અવગણવો. સાથે જ કેસમાં સમાધાન થયું હોય કે FIR રદ્દ થઈ હોય તો પાસાનો કોઈ અર્થ રહેતો નથી.