શિક્ષકો ની મારામારીના બનાવની ગંભીર નોંધ લેતા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આપ્યા તપાસના આદેશો..

સાગબારા ખાતે શિક્ષકો ની મારામારીના બનાવની ગંભીર નોંધ લેતા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આપ્યા તપાસના આદેશો..

શિક્ષણનિયામકને આપ્યા આદેશ

સાગબારાના નાનીદેવરૂપણ ગામે સાગબારા ટીચર્સ કો.ઓ. ક્રેડીટ સોસાયટીની સાધારણ સભામાં શિક્ષકો વચ્ચે થઈ હતી મારામારી

પૂર્વ પ્રમુખ પાસે હિસાબો માંગો તેવી વાત એક શિક્ષકે કહેતા મહિલા શિક્ષકે ચાલુ સભામાં લાફો મારી દીધો હતો

રાજપીપલા, તા3

નર્મદાના સાગબારાના નાનીદેવરૂપણ ગામે સાગબારા ટીચર્સ કો.ઓ. ક્રેડીટ સોસાયટીની સાધારણ સભામાં શિક્ષકો વચ્ચેછુટ્ટા હાથની મારામારીના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. શિક્ષણ જગતને લાંછન લગાડતી આ ઘટનાની ગંભીર નોંધ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે લીધી છે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ શિક્ષણ નિયામકને સાગબારા ખાતે શિક્ષકો ની મારામારીના બનાવની ગંભીર નોંધલઈ સમગ્ર ઘટના અંગે પ્રકરણના તપાસના આદેશો કરી દેતા શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે

સૂત્રો પાસેથી મળેલી હકીકત અનુસાર શિક્ષણમન્ત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શિક્ષકો ખૂબ સારુ કામ કરી રહ્યાં છે. હું ગુરુજનોનો આદર કરું છું. પણ શિક્ષકો આવી જાહેરમાં મારાંમારી કરે એ શિક્ષક માટે શિક્ષણ જગતમાટે શરમજનકવાત કહેવાય. એને સાંખી નહીં લેવાય. હું અંગે ઘટનાની તપાસ કરી રિપોર્ટ કરી કાર્યવાહી કરવા પણ જણાવી દીધું હોવાનું જણાવ્યું હતું.

આ ઘટના સાધારણ સભામાં વાર્ષિક હિસાબોની વાતો આવતા થઇ બોલાચાલી થઈ હતી એમાંથી વાત વણસી હતી.પૂર્વ પ્રમુખ પાસે હિસાબો માંગો તેવી વાત એક શિક્ષકે કહેતા મહિલા શિક્ષકે ચાલુ સભામાં લાફો મારી દીધો હતો
અને મહિલા શિક્ષકે અપશબ્દો બોલી મારામારી કરતા તેમના પતિ એ પણ કર્યો હુમલો કર્યો હતો.
શિક્ષક દ્વારા કરાયેલી મારમારી માં બે શિક્ષકો ઘાયલ થયા હતાં. અને હુમલો કરનારા ત્રણ શિક્ષકો સામે સાગબારા પોલીસ માં ગુનો નોંધાયો હતો.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા