અંબાજી ખાતે 1251 ગજની ધજા લઈ માઇભક્તો અંબાજી પહોંચ્યાં

સંજીવ રાજપૂત
અંબાજી

ભાદરવી પૂનમ મેળાનો આજે પાંચમો દિવસ

અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો આજે પાંચમો દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આજે ઉમટી પડ્યા છે. છેલ્લા ચાર દિવસ મા 20 લાખ કરતા વધુ માઈ ભક્તો માતાજીના દર્શન કર્યા છે. અંબાજી મંદિર રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લું રહે છે જેથી માઈ ભક્તોને દર્શન કરવામા સરળતા રહે અને આનંદ પૂર્વક દર્શન થાય. આજે અંબાજી ખાતે 1251 ગજની ધજા લઈ માઇભક્તો અંબાજી પહોંચ્યાં હતા. જ્યારે મુંબઇ થી અમદાવાદ આવી અમદાવાદથી અંબાજી ચાલીને સંઘ માં અંબાના ધામ અંબાજી પહોંચ્યો હતો. સમગ્ર અંબાજી, ગબ્બરના વિસ્તારમા માઈ ભક્તો મોટી સંખ્યામા જય અંબે નાં નાદ કરતાં જોવા મળ્યાં હતા. ભક્તોનો અવિરત પ્રવાહ માં અંબાના ધામ તરફ આગળ વધી રહયો છે અને ભક્તોનું ઘોડાપુર અંબાજી ખાતે જોવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *