શું નર્મદા જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ પ્રજા માટે મજાક બની ગયો?!

લ્યો કરો વાત!

શું નર્મદા જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ પ્રજા માટે મજાક બની ગયો?!

80થી વધુ જેટલી અરજીમાંથી માત્ર 16 જેટલી અરજીને જ કાર્યકમમાં
સમાવવામાં આવી?!

બાકીની અરજીનું શું? પ્રજામાં નારાજગી

રાજપીપલા નગરપાલિકા ના
નવા ચૂંટાયેલ સભ્યો ને ચીફ ઓફીસર માહીતી કેમ નથી આપતા?

અપક્ષ મહિલા સદસ્યએ
કલેકટ૨ને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆત કરી.

 

રાજપીપળા, તા 21

 

એક તરફ રાજપીપલા નગરપાલિકા ની તાજેતર માં યોજાયેલી ચૂંટણી
માં અપક્ષ ચૂંટાયેલા મહિલા સભ્યએ પાલિકાના ચીફ ઓફિસર પાસે જનહિતમાં માહિતી માંગે તો માહિતી મળતી નથી પછી ફરિયાદી
કલેકટ૨ને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆત કરીછે 80માંથી 16 માં પણ નગરપાલિકા વિપક્ષ કોર્પોરેટરની અરજી લીધી નથી પ્રજાલક્ષી ફરિયાદ લોકશાહીમાં લેવાતી કેમ નથી? એ પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.
આ અંગે નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર મહેશ વસાવાના જણાવ્યા અનુસાર

અરજદારો ની મજાક કરવા માટે રાખવામાં આવ્યો હોય તે રીતે આશરે 80 જેટલી અરજી માંથી માત્ર16 જેટલી અરજી ને કાર્યકમ માં
સમાવવામાં આવી છેજયારેકોર્પોરેટર દામિનીબેન વસાવાની જનહિતમાટેની પ્રજાલક્ષી ફરિયાદ લેવામાં કેમ આવી નથી? એવો સવાલ સીધો તંત્ર સામે ઉઠાવ્યો છે

મોટી મોટી જાહેરાતો કરાય છેપણ અરજી ધ્યાને ન લેવાય ત્યારે અરજદારો પરેશાન થતા હોય છે ફરિયાદ નિવારણ કાર્યક્રમ ના નામે
ફરિયાદ ઠુકરાવણ કાર્યકમ બની ગયો છે!

આ અગાઉ રાજપીપલા નગરપાલિકા ની તાજેતર માં યોજાયેલી ચૂંટણી માં અપક્ષ ચૂંટાયેલા મહિલા સભ્ય દામિનીબેન વસાવાએ પાલિકા
ના વહીવટ સંદર્ભે ચીફ
ઓફિસર પાસે માંગેલી માહિતી CO એ નહિ આપતા મહિલા સદસ્યએ
કલેકટ૨ને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆત કરીછે .પ્રાપ્ત માહિતી
મુજબ નગરપાલિકા માં પ્રથમવાર ચૂંટાયેલા મહિલા સદસ્ય દામિનીબહેન
વસાવા એ પાલિકા વહીવટ થી માહિતગાર થવા મુખ્યઅધિકારી પાસે
કેટલીક માહિતી માંગી હતી જેમકે નગરપાલિકા નું કુલ મહેકમ, વિવિધવિભાગો ના વડા માટેની લાયકાત અને હાલ ફરજ બજાવતા કર્મચારીઓની ડિગ્રી કરાર આધારિત કર્મચારીઓ ની સંખ્યા, અને કરાર ની નકલ
હંગામી કર્મચારીઓ ની સંખ્યા તેમના પગાર ની માહિતી, કરાર આધારિત
કર્મચારીઓની ભરતીના નિયમો તેમજ તે અંગે જે જાહેરાત આપી હોયતેની નકલ, ઇન્ટર્નલ ઓડિટર ની લાયકાત તેમજ આ જગ્યા પર હંગામી કર્મચારી ની નિમણુંક થઇ શકે કે કેમ? ત્રિમાસિક આવક અને ખર્ચાઓ.પાલિકા અધિનિયમ મુજબ પ્રજા માટે જાહેર માં મુકવાના હોય છે ત્યારે
સભ્યો ને પણ તેની નકલ આપવા ની માંગણી કરી છે જે માહિતી CO એ
નહિ આપતા સદસ્ય દામિનીબેન વસાવા એ. કલેકટર ના ફરિયાદ નિવારણ
કાર્યક્રમ માં રજુઆત કરી છે . ત્યારે ઉપરોક્ત માહિતી કદાચ પાલિકા પ્રમુખપાસે પણ નહી હોય જયારે એક આદિવાસી મહિલા સદસ્ય એ જાગૃતિ
બતાવી માહિતી માંગી છે તેની સૌ પ્રશંસા કરી રહ્યા છે .

અરજદારો ઓ દ્વારા
માહે.-જૂન-૨૦૨૬ માસના જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ અરજીઓ કરવામાં
આવેલ છે. જે અન્વયે અરજીઓનો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ ન કરતા જરૂરી કાર્યવાહી કરવાને બદલે
અરજદાર અરજી ફરિયાદ નીવારણમાં પ્રજાની ફરિયાદ ન લેતા અરજી અસલમાં આ સાથે જે તે કચેરીને મોકલી આપવામાં આવે છે.એનો શો અર્થ?

લોકશાહિમા પ્રજાને ફરિયાદ કરવાનો, માહિતી માંગવાનો અધિકાર બંધારણે આપેલો છે.જો નર્મદાનું વહીવટી તંત્ર માહિતી ન આપે અથવા ફરિયાદ ન લે તો એ લોકશાહીનું હનન છે. એનાથી પ્રજામાં મેસેજ ખોટો જાય અને તંત્ર પરથી પ્રજાનો ભરશો ઉઠી જશે. ફરિયાદી ગમે તે હોય પ્રજાની ફરિયાદ સાંભળવાની અને ન્યાય આપવાની તંત્રની ફરજ છે. તંત્ર પણ એની ફરજ નિભાવે એ જરૂરી છે

તસવીર : દીપક જગતાપ, રાજપીપળા