નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખના રાજીનામાંની વધતી જતી માંગ

નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખના રાજીનામાંની વધતી જતી માંગ

નર્મદા જિલ્લો જ્વાળા મુખી પર બેઠો છે.

જેની જ્વાળા ઓ ભરૂચ, સુરત, તાપી વલસાડ, પંચમહાલ છોટાઉદેપુર, દાહોદ,અને અન્ય વડોદરા જેવા જિલ્લા ઓમાં આ આગ પ્રસરી રહી છે..-સુરેશ તલાટી

જિલ્લા પ્રમુખે પાર્ટીના હિતમાં રાજીનામુ આપી દેવું એજ પાર્ટીના હિતમા છે.

આદિવાસી ભોળો છે… મૂર્ખ નથી..

રાજપીપળા, તા 16

પૂર્વ પ્રદેશ મંત્રી અને નર્મદા ભાજપાના સિનિયર આગેવાન દિનેશ તડવીએ ચૂંટણીની હાર માટે જવાબદાર ઠેરવ્યા પછી હવે વધુ એક ભાજપાના સિનિયર આગેવાન રહી ચૂકેલા અને ટિકિટ ફાળવણી મુદ્દે રાજીનામુ આપનાર સિનિયર આગેવાન સુરેશભાઈ તલાટીએ પણ જિલ્લા પ્રમુખ નીલ રાવના રાજીનામાંની માંગ કરતા ભાજપા છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે.
સોસીયલ મીડિયામાં સુરેશ તલાટીએ જિલ્લા પ્રમુખ સામે ટિપ્પણી કરતા જણાવ્યું છે કે
ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ સિનીયર કાર્યકર્તા એવા દિનેશભાઈ તડવી પ્રદેશ મા કરેલ રજુઆત ખરેખર દરેક કાર્યકરો સમજવા જાણવા તેમજ વિચાર કરી સજાગ થવાં જેવું છે.અને કાર્યકરોના ભવિષ્યની સાથે સાથે આત્મ મંથન પણ જરૂરી છે….નર્મદા જિલ્લો જ્વાળા મુખી પર બેઠો છે. જેની જ્વાળા ઓ ભરૂચ, સુરત, તાપી વલસાડ, પંચમહાલ છોટાઉદેપુર, દાહોદ,અને અન્ય વડોદરા જેવા જિલ્લા ઓમાં આ આગ પ્રસરી રહી છે.. જવાબદાર કોણ…? સમય છે.. નર્મદા જિલ્લા પ્રમુખે જો જવાબદારી હારની સ્વીકારી છે… તો જો તેઓ કાર્યકરો નુ હિત અને પાર્ટીનું હિત સાચેજ ઈચ્છતા હોય તો પાર્ટીના હિતમાં રાજીનામુ આપી દેવું એજ પાર્ટી ના હિત મા છે…કારણે 2022 વિધાનસભા, 2024લોકસભા અને 2026 જિલ્લા /તાલુકા પંચાયત આ પરિણામ સંગઠન ની ચાડી ખાય છે…. વારંવાર આદિવાસી સમાજને દોષિત કરાવો કેટલો યોગ્ય છે…. આદિવાસી ભોળો છે… મૂર્ખ નથી..હજી પણ જિલ્લા પ્રમુખ સામે કાર્યકરો માં ઘણો રોષ છે. હવે એ જોવું રહ્યું કે આ રોષને ખાળવા હવે ભાજપા હવે શું કવાયત કરે છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપળા