દર્દી હિતમાં બેદરકારી દાખવનાર કર્મચારી સામે કડક વલણ

દર્દી હિતમાં બેદરકારી દાખવનાર કર્મચારી સામે કડક વલણ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની વધુ એક મોટી કાર્યવાહી

દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને દવા ન આપવાના મામલે વિસનગરના જુનીયર ફાર્માસીસ્ટ પ્રશાંત શ્રીમાળીની કચ્છ ખાતે બદલી અને ખાતાકીય તપાસ કરવાની સૂચના આપી.

આરોગ્ય મંત્રીશ્રીની સૂચનાથી થયેલી તપાસમાં ગાંધીનગર ખાતે દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું.

આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા ઉપલબ્ધ થાય તે માટે સતત સંવેદનશીલ અભિગમ.