ડેડીયાપાડા આપ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો,

ડેડીયાપાડા આપ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો,

૨૩ જૂને ધારાસભ્ય ચૈતર વસાવાને હાજર થવા આદેશ

ગુજરાત પોલીસ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન મામલે
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટની નોટિસ

કોર્ટની નોટિસ એક તરફ બદનક્ષીનોકેસ અને બીજી તરફ ઝઘડિયાકંપની વિવાદમાં નોંધાયેલા ગુનાઓને કારણે વસાવાની કાયદાકીય મુશ્કેલીઓ વધી.

રાજપીપલા તા 5

આમ આદમી પાર્ટીના
ધારાસભ્ય ચૈતર વસાવા ફરી
એકવાર કાયદાકીય ગૂંચવણમાં
ફસાયા છે. ગુજરાત પોલીસ
દળ વિરુદ્ધ આપેલા વિવાદાસ્પદ
નિવેદન બદલ ભરૂચની કોર્ટે તેમને
નોટિસ ફટકારી આગામી ૨૩જૂન,
૨૦૨૬ના રોજ કોર્ટમાં હાજર રહેવા
તાકીદ કરીછે. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદો બાદ હવે ભરૂચની કોર્ટે તેડું મોકલ્યું છે.

જુલાઈ 2024માં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ-અંકલેશ્વર ખાતેની INDIA ગઠબંધનની ઓફિસે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેમણે આખા ગુજરાતની પોલીસ દારૂ વેચતી હોવાની છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ નિવેદનને પોલીસની ઘોર બદનક્ષી સમાન ગણવામાં આવ્યું છે.

ભરૂચના તત્કાલીન એસપી મયુર ચાવડાએ 17 ડિસેમ્બર 2024ના રોજ આપેલા રિપોર્ટના આધારે જિલ્લા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં 18 એપ્રિલ 2026ના રોજ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરવામાં આવી હતી. આ દલીલોને ગ્રાહ્ય રાખીને ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન એન. જોષી દ્વારા 4 મે 2026ના રોજ એક મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 223 (1) મુજબ આરોપીને સાંભળવાની તક આપવી ફરજિયાત હોવાથી કોર્ટે નોટિસ ઇસ્યુ કરી છે. ધારાસભ્ય ચૈતર વસાવાને 23 જૂન 2026ના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. આ મામલે ભરૂચ પોલીસ કર્મચારી પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમાર દ્વારા કરવામાં આવેલી બે અલગ-અલગ ફરિયાદોમાં પણ ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે.

પોલીસ તંત્ર વિરુદ્ધ જાહેર મંચ પરથી કરેલા આક્ષેપો હવે ધારાસભ્ય માટે કાયદાકીય પડકાર બની ગયા છે. હવે જોવાનું એ રહેશે કે 23 જૂને કોર્ટ સમક્ષ હાજર થઈને ધારાસભ્ય ચૈતર વસાવા પોતાનો શું પક્ષ રજૂ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે , ગત સપ્તાહે ઝઘડિયામાં ચૈતર વસાવા વિરુદ્ધ બે ગુના નોંધાયા હતા. ઝઘડિયા સ્થિત મેટ્રોપોલિટન એક્ઝિમકેમમાં 23 એપ્રિલે લાગેલી આગની દુર્ઘટનામાં 14 કામદારો ઈજાગ્રસ્ત થયા બાદ 3ના મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ 27 એપ્રિલે કંપની પરિસરમાં પહોંચેલા આપ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે થયેલા ઘર્ષણ મામલે ઝઘડિયા પોલીસ મથકે ધારાસભ્ય વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા હતા

માત્ર બદનક્ષીનો કેસ જ નહીં,
પરંતુ અન્ય વિવાદો પણ વસાવા
માટે માથાનો દુખાવો બન્યા છે,
(૧) પ્રહલાદ પરમાર અને
પ્રવીણ પરમાર દ્વારા નોંધાવવામાં
આવેલી બેફરિયાદો.
અલગ-અલગ(૨) ઝઘડિયાની એક્ઝિમકેમકંપનીમાં લાગેલી આગ અનેકામદારોના મોત બાદ ૨૭
એપ્રિલના રોજ થયેલા ઘર્ષણ
મામલે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં
નોંધાયેલા વધુ બે ગુના.
એક તરફ રાજકીય ગરમાવો
છે ત્યારે બીજી તરફ ઉપરાઉપરી
નોંધાયેલા કેસોને કારણે ધારાસભ્ય
ચૈતર વસાવા માટે આગામી સમય
કાયદાકીય દ્રષ્ટિએ પડકારજનક
બનીશકેછે.

તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા