એચ.એ.કોલેજમાં અધ્યાપકનો વય નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો.


ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રો.પંકજ રાવલનો વય મર્યાદાના કારણે નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો. કોલેજના અકાઉન્ટન્સી વિષયના પ્રા.રાવલ 30 વર્ષ સુધી વિદ્યાર્થીઓના લોકપ્રિય પ્રોફેસર તરીકે સેવાઓ આપી હતી. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે કોઇપણ સંસ્થાની શૈક્ષણીક પ્રવૃત્તિઓ, શીસ્ત તથા સંસ્કારનું સિંચન તેના શિક્ષકો ઉપર આધારીત છે. પરંતુ કમનસીબી એ છે કે ૨૧મી સદીના ટેકનોલોજી યુગમાં વિદ્યાર્થીઓનો રોલ મોડેલ તેનો શિક્ષક હોતો નથી. તેનું સૌથી મોટુ કારણ સોશિઅલ મીડિયાનો પ્રભાવ તથા સામાજીક પરિસ્થિતિ છે. વિદ્યાર્થીઓનો શિક્ષક પ્રત્યેનો પ્રેમ, સન્માન તથા લાગણી તેનું સૌથી મોટું બેંક બેલેન્સ છે. આ કાર્યક્રમના અંતે નિવૃત થતા પ્રા.પંકજ રાવલે પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે વર્ગ શિક્ષણ જેવુ સુખ મને ક્યારેય મળ્યુ નથી. વિદ્યાર્થીઓ સાથેના સકારાત્મક સંવાદો તથા વિષય પ્રત્યેની નિષ્ઠા કોઇપણ શિક્ષકને વિદ્યાર્થીપ્રિય બનાવે છે. આ પ્રંસગે કોલેજના પ્રા.મહેશ સોનારા, પ્રા.માલતી વાલા તથા પ્રા.ચેતન મેવાડાએ પ્રાસંગોચિત વક્તવ્યો આપ્યા હતા.