એચ.એ.કોલેજમાં “યુધ્ધ એટલેજ માનવતાની હાર” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ


ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજની સ્થાપનાના ૭૦ વર્ષ પૂરા થઇ રહ્યાં છે. સમગ્ર વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા સમાજોપયોગીક પ્રવૃત્તિઓનું આયોજન થઇ રહ્યું છે. આ અનુસંધાનમાં કોલેજના સ્ટડી સર્કલ દ્વારા”યુધ્ધ એટલેજ માનવતાની હાર” વિષય ઉપર વક્તવ્ય રાખવામાં આવ્યું હતુ.આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે વિશ્વના કોઇપણ ખૂણામાં યુધ્ધ થાય તે માનવતાનું અપમાન છે.સૈનીકોની સાથે સાથે નિર્દોષ નાગરીકોના પણ મોત થાય છે.આર્થીક દ્રષ્ટિએ પાયમાલી થાય છે તથા પર્યાવરણને ભયંકર નુકસાન થાય છે. દેશની પ્રગતી સંદર્ભે ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઉભુ કરતા વર્ષો વીતી જાય છે પરંતુ તેને યુધ્ધમાં તોડી પાડતા સેકન્ડો થાય છે.ભુખમરો તથા માનસીક સ્વાસ્થ્યની અસરો ઉભી થાય છે જે માનવતા માટે કલંક સમાન છે.કોઇપણ યુધ્ધ થવાના કારણોમાં જમીન વિસ્તાર, આર્થીક બાબતો તથા કાલ્પનીક ડર હોય છે. વિશ્વનું સંરક્ષણ પાછળ જેટલુ બજેટ વપરાય છે તે આરોગ્ય અને શિક્ષણ પાછળ ખર્ચાય તો યુધ્ધનો વિચાર પણ નહી આવે.બુધ્ધ, મહાવીર તથા ગાંધીજીના વિચારોજ વિશ્વશાંતી સ્થાપી શકશે તથા પ્રેમ ,કરૂણા, ભાઈચારાની ભાવના સાથે માનવતાના સ્પર્શથી વિશ્વાસપૂર્વક વિશ્વ પ્રગતી કરી શકશે.