12મીએ રાજપીપલા ખાતે વાર્તા લેખન અંગેનો એક દિવસીય રાજ્ય કક્ષાનો પરિસંવાદ અને વાર્તા લેખન શિબિર યોજાશે
ભરૂચ અને વડોદરાના વાર્તાકાર દર્શનાબેન વ્યાસઅને વડોદરાના વાર્તાકાર જયશ્રીબેન પટેલનું ટૂંકી વાર્તા ઉપર વ્યાખ્યાન
રાજપીપલા :તા11
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા,નર્મદા સાહિત્ય સંગમ અને શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રીકોલેજ ઓફ ફીઝીકલ એજ્યુકેશન રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે તા 12/3/26ને ગુરુવારે
વાર્તા લેખન અંગેનો એક દિવસીય રાજ્ય કક્ષાનો પરિસંવાદ અને વાર્તા લેખન શિબિર યોજાશે
શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રીકોલેજ ઓફ ફીઝીકલ એજ્યુકેશન, રાજપીપળા ખાતે સવારે 9 ક્લાકે વાર્તા લેખન શિબિરમાં વાર્તા લેખનમા રસ ધારાવનાર રસીકો કોલેજ ના વિદ્યાર્થીઑ તેમજ નર્મદા સાહિત્ય સંગમ ના સદસ્યો જોડાશે.
આ પરિસંવાદમાં મુખ્ય મહેમાન તા
રીકે શ્રી કરણસિંહ ગોહિલ, પ્રિન્સિપાલ અને મહામંત્રી ગુજરાત વ્યાયામ વ્યાયામ મંડળ, રાજપીપલા તથા અતિથિ વિશેષ પદેશ્રી પ્રહલેશ આચાર્ય, ઈ. ચા.પ્રિન્સિપાલ,શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રીકોલેજ ઓફ ફીઝીકલ એજ્યુકેશન,રાજપીપળા,શ્રીમતી જ્યોતિ જગતાપ,પ્રમુખ :જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા,અને મંત્રી અને સાહિત્યકાર
દીપક જગતાપ ઉપસ્થિત રહેશે.
વાર્તાકાર દર્શનાબેન વ્યાસ
ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તામાં પાતત્રાલેખન, સંવાદ, અને ભાષાશૈલી વિષય ઉપર તથા વાર્તાકાર જયશ્રીબેન પટેલ ટૂંકી વાર્તાનો ઉદ્દભવ, સ્વરૂપ,વાર્તામાં કથા અને માવજત વિષય ઉપર વ્યાખ્યાન આપશે.વાર્તા લેખન માં રસ ધારાવનાર મિત્રો ને વાર્તા લેખન શિબિરમાં જોડાવા મંત્રી દીપક જગતાપે અનુરોધ કર્યો છે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા