હરસિદ્ધિ માતાજીને 141 વ્યંજનોનો અનોખો અન્નકૂટ ધરાવાયો

રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીને 141 વ્યંજનોનો અનોખા અન્નકૂટ ધરાવાયો

શુદ્ધ કેળના પાણીથી અને ગીરના ગાયના શુદ્ધ ઘીથી વૈદિક પરંપરા પદ્ધતિથી બનાવેલ અત્યંત શુદ્ધ અને પવિત્ર અન્નફૂટના દર્શને ભક્તો ની ભીડ

રાજપીપળા, તા 6

રાજપીપલા ખાતે હરસિદ્ધિ
માતાજી મંદિરના પ્રાગટ્ય
મહોત્સવના બીજા દિવસે 141થી
વધુ વ્યંજનો, પકવાનોના અનોખા
અન્નકૂટના દર્શન ભક્તો માટે ખુલ્લા
મુકવામાં આવ્યા હતા.જેમાં શુદ્ધ કેળના પાણી અને ગીર ગાયના શુદ્ધ ઘીથી વૈદિક પરંપરા પદ્ધતિથી બનાવેલ વાનગી
સ્વામિનારાયણ ગુરુકુળે જાતે તૈયાર કરીમાતાજીના ચરણોમાં અર્પણ કરીહતી.

આ અંગે ગુરુકુળના સિદ્ધેશ્વર
સ્વામીજીએ જણાવ્યું હતું કે આજકાલ બજા૨ના તૈયાર ફરસાણ, મીઠાઇનો પ્રસાદ ૫૬ ભોગમાં કે મંદિરમાં મુકાય છે તેમાં પવિત્રતા જળવાતીનથી. અમે ગુરુકુળ દ્વારા શુદ્ધ કેળના પાણીથી અને ગીરના ગાયના શુદ્ધ ઘીથી વૈદિક પરંપરા પદ્ધતિથી બનાવેલ અત્યંત શુદ્ધ અને પવિત્ર અન્નફૂટ તૈયાર કરી માતાજીને 141 વ્યંજનો પકવાનો ધરાવ્યા છે.

શુદ્ધ દૂધ, ઘી, તેલના પાકમાં ખુદ
સ્વામીજીએ પવિત્રતા જાળવી
અન્નકૂટના વિવિધ વ્યંજનો બનાવ્યા
હતા. આજે અન્નકૂટના દર્શન અને
આરતીમાં ભક્તોની ભારે ભીડ જામીહતી.બે દિવસના અન્નકૂટના દર્શનકરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

આજે મંદિર ને 1000 કિલો ફૂલોથી શણગારવામાં આવ્યું હતું તેમજ નવચંડી યજ્ઞમાં પણ મોટી સંખ્યામાંમાં ભક્તો જોડાયા હતાં. માતાજીના અને અન્નફૂટના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

તસવીર:દીપક જગતાપ, રાજપીપલા