ગુજરાતના એસટી કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો.

ગુજરાતના એસટી કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો.

ગાંધીનગર, તા. 26 ઓગસ્ટ, 2025: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે ગુજરાત ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (DA) 2%નો વધારો કર્યો છે. આ વધારા સાથે હવે કર્મચારીઓને 55%ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.

સરકારના આ નિર્ણયથી ST નિગમના 40,000 કરતાં વધુ કર્મચારીઓને સીધો લાભ થશે, જેના પરિણામે નિગમ પર કુલ રૂ. 30 કરોડથી વધુનો આર્થિક બોજ પડશે. હર્ષ સંઘવીએ આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં, 28 જાન્યુઆરી, 2025ના રોજ પણ ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજના નવા નિર્ણયથી કર્મચારીઓના પગારમાં વધારો થશે અને તેમને મોંઘવારી સામે થોડી રાહત મળશે.