કચ્છમાં આવેલા દહીંસરા ગામ ખાતે ઉનાળામાં સખત પડતી ગરમીમાં પશુઓને ઘાસચારો નાખવામાં આવ્યો

*કુમકુમ મંદિર દ્વારા ગાયોને દહીંસરા ગામમાં ઘાસચારો નાખવામાં આવ્યો.*

*શ્રી સ્વામિનારાયણ ભગવાને પશુઓની સેવા કરવાનો સંદેશો શિક્ષાપત્રીમાં આપ્યો છે.-સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*

સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર – અમદાવાદ દ્વારા કચ્છમાં આવેલા દહીંસરા ગામ ખાતે ઉનાળામાં સખત પડતી ગરમીમાં પશુઓને ઘાસચારો નાખવામાં આવ્યો હતો.

*આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી ગ્રંથમાં માતા પિતા, રોગાતુર મનુષ્ય અને પશુ પ્રાણીઓની સેવા કરવાનો સંદેશો આપેલો છે. તેથી કુમકુમ મંદિરના હરિભક્તો દ્વારા પશુઓને ઘાસ નાખવાની સેવા ઉનાળામાં કરવામાં આવતી હોય છે. આ વખતે દહીંસરા ગામના કાંતિભાઈ દ્વારા આ સેવા કરવામાં આવી હતી અને સંતોના હસ્તે… સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સાથે પશુઓને ઘાસચારો નાખવામાં આવ્યો હતો અને તેમને પીવા માટે પાણીની સગવડ કરી આપવામાં આવી હતી.