એચ.એ.કોલેજના જ્ઞાનસત્રના બીજા દિવસે “યૌવન વીંઝે પાંખ વિશે” વક્તવ્ય યોજાયુ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ ધ્વારા આયોજીત ૧૧મા શ્રી આઈ.એમ.નાણાવટી જ્ઞાનસત્રના બીજા દિવસે ગુજરાત સરકારના પૂર્વ કલેકટર તથા ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ ભાગ્યેશ જહાએ મુખ્ય વક્તા તરીકે “યૌવન વીંઝે પાંખ” વિષય ઉપર વક્તવ્ય આપ્યુ હતુ. તેમણે કહ્યું હતુ કે આજના યુવાનો જલદી નાસીપાસ થઇ જય છે. જેનું કારણ લક્ષ્ય વગરનું જીવન, મહેનત તથા આત્મવિશ્વાસનો અભાવ, એકબીજાની દેખાદેખી તથા વાંચવા લખવાની ટેવ નથી હોતી. યુવાનોમાં થનગનાટ, તરવરાટ તથા સાહસીક્તાના દર્શન થતા નથી. વધુમાં તેમણે મહાભારત તથા રામાયણના અનેક પાત્રોના દાખલા આપી સફળતાનો મંત્ર સમજાવ્યો હતો. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે આજના યુથે સ્કીલ ડેવલેપ કરવી પડશે, સ્માર્ટ વર્ક, એનર્જી, સ્વતંત્ર રીતે નિર્ણય લેવાનો આત્મવિશ્વાસ તથા સતત પ્રયત્નોથી આગળ વધી શકાય છે. ભારતને વિશ્વગુરૂ બનવા માટે યુવા ભારતના યુવાનોને સિંહફાળો આપવો પડશે. અડગ મન તથા સ્થિરતા પ્રગતીની નિશાની છે. કોલેજના પ્રા.મહેશ સોનારાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતુ તથા પ્રા.ચેતન મેવાડાએ આભારવિધિ કરી હતી. કોલેજના વિદ્યાર્થીઓ ઘણી મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *