ઓમ કૉમ્યુનિકેશન દ્વારા સાહિત્યકાર, સંશોધક,વિવેચક, કટારલેખક અને જૈન દર્શનના ચિંતક કુમારપાળ દેસાઈના જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

તા.૩૦ ઓગસ્ટ,શુક્રવારે,સાંજે ૦૫-૩૦ કલાકે,રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા સાહિત્યકાર, સંશોધક,વિવેચક, કટારલેખક અને જૈન દર્શનના ચિંતક કુમારપાળ દેસાઈના

જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ‘શબ્દજયોતિ’ અંતર્ગત ડૉ. કુમારપાળ દેસાઈએ પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.

—-

ડૉ. કુમારપાળ દેસાઈ :

મેં જૈન ધર્મગ્રંથો ઉપરાંત અન્ય ધર્મગ્રંથો પણ વાચ્યાં અને અભ્યાસ કર્યો.પણ,એ પ્હેલાં મારી માતા પાસેથી જ્ઞાન મને મળી ગયું હતું.એ મારા માટે અમૂલ્ય મૂડી છે.આપણે જ આપણા ભાગ્યવિધાતા છીએ.એ મને મારા અનુભવો પરથી જાણવા મળ્યું. હું વિદેશમાં ઘણું ફર્યો છું અને નવું જાણવા મળ્યું છે.એટલે હું કહી શકું કે ધર્મનું મુખ માણસ તરફ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *